SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૭૫૬ ૭૫૬ અધ્યયન-૩૦: આમુખ આવ્યંતર તપના છ પ્રકાર છે – ૧. પ્રાયશ્ચિત્ત ૨. વિનય ૩. વૈયાવૃજ્ય ૪. સ્વાધ્યાય ૫. ધ્યાન ૬. વ્યુત્સર્ગ ૧. પ્રાયશ્ચિત્ત વડે અતિચાર-ભીરુતા અને સાધના પ્રત્યે જાગરુકતા વિકસિત થાય છે. ૨. વિનય વડે અભિમાન-મુક્તિ અને પરસ્પરોપગ્રહનો વિકાસ થાય છે. ૩. વૈયાવૃજ્ય વડે સેવાભાવ વિકસે છે. ૪. સ્વાધ્યાય વડે વિકથાનો ત્યાગ થઈ જાય છે. ૫. ધ્યાન વડે એકાગ્રતા, એકાગ્રતા વડે માનસિક વિકાસ તથા મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાની ક્ષમતા વધે છે અને અંતમાં તેમનો પૂર્ણ નિરોધ થઈ જાય છે. ૬. વ્યુત્સર્ગ વડે શરીર, ઉપકરણ વગેરે ઉપર થનાર મહત્વનું વિસર્જન થાય છે. અથવા તપ બે પ્રકારનું છે - સકામ અને અકામ. એકમાત્ર મોક્ષ-સાધનાની દૃષ્ટિથી કરવામાં આવતું તપ કામ હોય છે અને તેના સિવાય અન્યાન્ય ઉપલબ્ધિઓ માટે કરવામાં આવનારું તપ અકામ. જૈન સાધના-પદ્ધતિમાં સકામ તપની ઉપાદેયતા છે અને તેને જ પૂર્ણ પવિત્ર માનવામાં આવેલ છે. તપના ત્રણ પ્રકાર પણ કરવામાં આવ્યા છે – કાયિક, વાચિક અને માનસિક, શૌચ, આર્જવ, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવું તે કાયિક તપ છે. પ્રિય, હિતકર, સત્ય અને અનુદ્વિગ્ન વચન બોલવું, સ્વાધ્યાયમાં રત રહેવું તે વાચિક તપ છે. આત્મનિગ્રહ, મૌનભાવ, સૌમ્યતા વગેરે માનસિક તપ છે. શિષ્ય પૂછ્યું – “ભંતે ! તપ વડે જીવ શું પ્રાપ્ત કરે છે?” ભગવાને કહ્યું – “તપ વડે તે પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરી વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વિશુદ્ધિ વડે તે મન, વચન અને શરીરની પ્રવૃત્તિનો સંપૂર્ણ નિરોધ પ્રાપ્ત કરે છે. અક્રિયાવાન બની તે સિદ્ધ થાય છે, પ્રશાંત થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને દુઃખોનો અંત કરે છે.” ભગવાને કહ્યું – “આ લોક નિમિત્તે તપ ન કરો. પરલોક માટે તપ ન કરો. શ્લાઘા-પ્રશંસા માટે તપ ન કરો. માત્ર નિર્જરા માટે – આત્મ-વિશુદ્ધિ માટે તપ કરો.” તપસ્યાના અવાંતર ભેદોનું નિરૂપણ આગમો તથા વ્યાખ્યાગ્રંથોમાં પ્રચુરતાથી થયું છે. ૧. ૨. ઉત્તરાયTIf, ૦ ૨૮, ૨૨ વૈનિવા, ૧/૪ . દા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy