SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ તપસ્યા મોક્ષનો માર્ગ છે. તેનાથી તપસ્વીની મોક્ષ તરફ ગતિ થાય છે – આ આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે. એટલા માટે આ અધ્યયનનું નામ ‘તવમા’ - ‘તો-માર્ગ-ગતિ' છે. પ્રત્યેક સંસારી જીવ પ્રતિક્ષણ કંઇને કંઇ પ્રવૃત્તિ અવશ્ય કરે છે. જ્યારે તે અક્રિય થાય છે ત્યારે તે મુક્ત બની જાય છે. જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં કર્મ-પુદ્ગલોનું આકર્ષણ અને નિર્ઝરણ થાય છે. પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે - શુભ અને અશુભ. શુભ પ્રવૃત્તિથી અશુભ કર્મોનું નિર્જરણ અને શુભ-કર્મ (પુણ્ય)નો બંધ થાય છે. અશુભ પ્રવૃત્તિથી અશુભ-કર્મ(પાપ)નો બંધ થાય છે. તપસ્યા કર્મ-નિર્ઝરણનું મુખ્ય સાધન છે. તેનાથી આત્મા પવિત્ર થાય છે. ભારતીય સાધના-પદ્ધતિમાં તપસ્યાનું મુખ્ય સ્થાન રહ્યું છે. જૈન અને વૈદિક મનીષિઓએ તેને સાધનાનું અપરિહાર્ય અંગ માન્યું છે. બૌદ્ધ તત્ત્વ-દેષ્ટા તે બાબતમાં ઉદાસીન રહ્યા છે. મહાત્મા બુદ્ધ પોતાની સાધનાનાં પ્રથમ ચરણમાં ઉગ્ર તપસ્વી હતા. તેમણે કેટલાય વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી, પરંતુ જ્યારે તેમને સફળતા ન મળી ત્યારે તેમણે તેને પોતાની સાધનામાં સ્થાન ન આપ્યું. જૈન-સાધના અનુસાર તપસ્યાનો અર્થ કાય-ક્લેશ કે ઉપવાસ જ નથી. સ્વાધ્યાય, ધ્યાન, વિનય વગેરે બધા તપસ્યાના વિભાગો છે. કાય-ક્લેશ અને ઉપવાસ અકરણીય નથી અને તેમની બધાં માટે કોઇ સમાન મર્યાદા પટ્ટા નથી. પોતાની રુચિ અને શક્તિ અનુસાર જે જેટલું કરી શકે તેના માટે તેટલું જ વિહિત છે. જૈન-દષ્ટિએ તપસ્યા બે પ્રકારની છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ પ્રકાર છે ૧. ૧. અનશન ૫. કાય-ફ્લેશ ૨. અવમોરિકા ૬. પ્રતિસંલીનતા. તેમના આચરણ વડે દેહાધ્યાસ છૂટી જાય છે. દેહાસક્તિ સાધનાનું વિઘ્ન છે, એટલા માટે મનીષિઓએ દેહના મમત્વત્યાગનો ઉપદેશ આપ્યો છે. શરીર ધર્મ-સાધનાનું સાધન છે, એટલા માટે તેની નિતાંત ઉપેક્ષા પણ કરી શકાતી નથી. દેહાસક્તિ વિલાસિતા અને પ્રમાદને જન્મ આપે છે. પરંતુ ધર્મ-સાધના માટે દેહની સુરક્ષા કરવી પણ નિતાંત અપેક્ષિત છે. જૈન મુનિનું ‘વોસદુપત્તવેઢે’ – આ વિશેષણ દેહાસક્તિના ત્યાગનું પરિચાયક છે. ૧-૨. અનશન અને અવમોરિકા વડે ભૂખ અને તરસ ઉપર વિજય મેળવવા તરફ ગતિ થાય છે. - ૫. ૩-૪. ભિક્ષાચર્યા અને રસ-પરિત્યાગ વડે આહારની લાલસા મર્યાદિત બને છે, જીભની લોલુપતા નાશ પામે છે અને નિદ્રા, પ્રમાદ, ઉન્માદ વગેરેને પ્રોત્સાહન મળતું નથી. ૬. ૩. ભિક્ષાચર્યા ૪. રસ-પરિત્યાગ उत्तराध्ययन निर्युक्ति, गाथा ५१३ : दुविहतवमग्गगई, वन्निज्जइ जम्ह अज्झयणे । तम्हा एअज्झयणं, तवमग्गगइ त्ति नायव्वं ॥ Jain Education International કાય-ક્લેશ વડે સહિષ્ણુતાનો વિકાસ થાય છે, દેહમાં ઉત્પન્ન થનારાં દુઃખોને સમભાવથી સહન કરવાની વૃત્તિ પેદા થાય છે. પ્રતિસંલીનતા વડે આત્માનાં સાન્નિધ્યમાં રહેવાનો અભ્યાસ વધે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy