SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ-પરાક્રમ ક્ષય (૭) પૂર્વીશ સહિત સ્રી–વેદ (૮) પૂર્વીશ સહિત હાસ્યાદિ ષટ્ક (૯) પૂર્વાશ સહિત પુરુષ-વેદના બે ખંડો (૧૦) પૂર્વીશ સહિત સંજવલન ક્રોધ (૧૧) પૂર્ણાંશ સહિત સંજવલન માન (૧૨) પૂર્ણાંશ સહિત સંજવલન માયા (૧૩) પૂર્વાશ સહિત સંજ્વલન લોભ ૭૪૯ વિશેષ જાણકારી માટે જુઓ—સૂયગડો, ૨૩ ૨, તેરમું ક્રિયાસ્થાન. અવશિષ્ટ અંશનો પ્રક્ષેપ હાસ્યાદિ ષટ્ક (હાસ્ય, રતિ, અરિત, ભય, શોક અને જુગુપ્સા)માં. પુરુષ-વેદના બે ખંડોમાં. તૃતીય ખંડના સંજ્વલન ક્રોધમાં. સંજ્વલન માનમાં. સંજ્વલન માયામાં. સંજ્વલન લોભમાં. હ સંજ્વલન લોભના પછી સંધ્યેય ખંડ કરવામાં આવે છે. તેમાંથી પ્રત્યેક ખંડને એક-એક અંતર્મુહૂર્તમાં ક્ષીણ કરવામાં આવે છે. તેમનો ક્ષય થતાં-થતાં તેમનામાંથી જે ચરમ-ખંડ બચે છે તેના ફરી અસંખ્ય સૂક્ષ્મ ખંડો થાય છે. તેમાંથી પ્રત્યેક ખંડને એકએક સમયમાં ક્ષીણ કરવામાં આવે છે. તેમનો ચરમ-ખંડ પણ ફરી અસંખ્ય સૂક્ષ્મ ખંડોની રચના કરે છે. તેમાંના પ્રત્યેક ખંડને એક-એક સમયમાં ક્ષીણ ક૨વામાં આવે છે. આ રીતે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે. તેનાં ક્ષીણ થવાથી યથાખ્યાત અથવા વીતરાગ-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે અંતર્મુહૂર્ત સુધી રહે છે. તેના અંતિમ બે સમય જ્યારે બાકી હોય છે, ત્યારે પ્રથમ સમયમાં નિદ્રા, પ્રચલા, દેવગતિ, આનુપૂર્વી, વૈક્રિય-શરીર, વજ-ઋષભને છોડીને બાકીના બધાં સંહનનો, સંસ્થાન, તીર્થંકરનામ-કર્મ અને આહારક નામ-કર્મ ક્ષીણ થાય છે. ચરમ સમયમાં જે ક્ષીણ થાય છે તે સૂત્રમાં પ્રતિપાદિત છે, જેમ કે પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દર્શનાવરણીય અને પંચવિધ અંતરાય—આ બધાં એક સાથે જ ક્ષીણ થાય છે. આ રીતે ચારેય ઘાતી કર્મોનાં ક્ષીણ થતાં જ નિરાવરણ જ્ઞાન– કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉદય થઈ જાય છે. Jain Education International કેવળી થયા પછી ભવોપગ્રાહી (જીવન-ધારણના હેતુભૂત) કર્મો બાકી રહે છે, ત્યાં સુધી તે આ સંસારમાં રહે છે. તેની કાળ-મર્યાદા જધન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે દેશ-ઊન (નવ વર્ષ ઓછા) કરોડ પૂર્વની છે. આ અવિધમાં કેવળી જ્યાં સુધી સયોગી (મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સહિત) રહે છે ત્યાં સુધી તેને ઈર્યાપથિક-કર્મનું બંધન હોય છે. તેની સ્થિતિ બે સમયની હોય છે. તેનો બંધ ગાઢ નથી હોતો—નિધત્ત અને નિકાચિત અવસ્થાઓ નથી હોતી. એટલા માટે તેને ‘બદ્ધ અને અધ્યયન-૨૯ : ટિપ્પણ ૭૧ સ્પષ્ટ’ કહેલ છે. જે રીતે ઘડો આકાશ વડે સ્પષ્ટ હોય છે, તે જ રીતે ઈર્યાપથિક-કર્મ કેવળીના આત્મા સાથે બદ્ધ-સ્પષ્ટ હોય છે. જે રીતે ચીકણી ભીંત ઉપર ફેંકેલી ધૂળ તેનાથી સ્પષ્ટ માત્ર હોય છે, તે જ રીતે ઈર્યાપથિક-કર્મ કેવળીના આત્મા સાથે સૃષ્ટમાત્ર હોય છે. પ્રથમ સમયમાં તે બદ્ધ-સ્પષ્ટ હોય છે અને બીજા સમયમાં તે ઉદારિત – ઉદય-પ્રાપ્ત અને વેદિત – અનુભવપ્રાપ્ત હોય છે. ત્રીજા સમયમાં તે નિર્ણ થઈ જાય છે અને ચોથા સમયમાં તે અકર્મ બની જાય છે – પછી તે તે જીવનાં કર્મરૂપમાં પરિણીત થતું નથી. મેયાત્તેઆ દેશી શબ્દ છે. તેનો અર્થ છે—અન્તમાં અર્થાત્ ભવિષ્યકાળમાં, અંતિમ સમય—ચોથા સમયમાં. ૭૧. શેષ આયુષ્યનો (અન્નાઽયં) યથાયુનો અર્થપૂર્ણ આયુષ્ય-કાળ છે. સ્થાનાંગ ૨૨૬૬, ૩૭૧૨૨, ૪૧૩૪માં આ શબ્દનો પ્રયોગ થયો છે. જેના આયુષ્યનું અપવર્તન નથી થતું, તેને યથાયુ કહેવામાં આવે છે. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ કેવળી હોવાથી પાછળ બચેલ આયુષ્ય છે. 1. ૨. વૃત્તવૃત્તિ, પત્ર ૧૧ : ઉદીરિતનો અર્થ ઉદય-પ્રાપ્ત છે. પરંતુ ઉદીરણા વડે ઉદય-પ્રાપ્ત નથી. કેમ કે ત્યાં ઉદીરણા થતી જ નથી—‘વીરગાથાસ્તત્રાસંમવાત્' । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy