SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૭૫૦ અધ્યયન-૨૯: ટિપ્પણ ૭૨ ૭૨. (સૂત્ર ૭૩-૭૪) કેવળીનો જીવન-કાળ જ્યારે અંતર્મુહૂર્ત માત્ર બાકી રહે છે, ત્યારે તે યોગ-નિરોધ (મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો પૂર્ણ નિરોધ) કરે છે. તેની પ્રક્રિયા આ પ્રકારની છે– શુક્લ-ધ્યાનનાં ત્રીજા ચરણ (સૂક્ષ્મ-ક્રિયા-અપ્રતિપાતિ)માં વર્તતો તે સર્વ પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પ્રતિ સમય મનનાં પુદ્ગલ અને વ્યાપારનો નિરોધ કરતાં-કરતાં અસંખ્ય સમયોમાં તેનો પૂર્ણ નિરોધ કરી શકે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. પ્રતિ સમય વચનનાં પદુગલો અને વ્યાપારનો નિરોધ કરતાં-કરતાં અસંખ્ય સમયોમાં તેનો પૂર્ણ નિરોધ કરી શકે છે. પછી ઉચ્છવાસ-નિશ્વાસનો વિરોધ કરે છે. પ્રતિ સમય કાયયોગનાં પુદ્ગલો અને વ્યાપારનો વિરોધ કરતાં-કરતાં અસંખ્ય સમયમાં તેનો પૂર્ણ (ઉચ્છવાસ-નિશ્વાસ સહિત) નિરોધ કરી શકે છે. પપાતિકમાં ઉચ્છવાસ-નિશ્વાસ નિરોધના સ્થાને કાયયોગના નિરોધનો ઉલ્લેખ છે." મુક્ત થનાર જીવ શરીરની અવગાહનાનો ત્રીજો ભાગ જે પોલો હોય છે તેને પૂરી દે છે અને આત્માની બાકીના બે ભાગ જેટલી અવગાહના રહી જાય છે. આ ક્રિયા કાય-યોગ-નિરોધના અંતરાલમાં જ નિષ્પન્ન થાય છે. યોગ-નિરોધ થતાં જ અયોગી કે શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. આને ‘અયોગી ગુણસ્થાન” પણ કહેવામાં આવે છે. ન વિલંબથી કે ન શીવ્રતાથી, પરંતુ મધ્યમ-ભાવથી પાંચ હૃસ્વ અક્ષરો (અ, ઇ, ઉં, ઋ, લુ)નું ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમય સુધી અયોગી અવસ્થા રહે છે. તે અવસ્થામાં શુક્લ-ધ્યાનનું ચોથું ચરણ–“સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ’નામે ધ્યાન થાય છે. ત્યાં ચાર અઘાતિ અથવા ભવોપગ્રાહી-કર્મો એક સાથે ક્ષીણ થઈ જાય છે. તે જ સમયે ઔદરિક તૈજસ અને કાર્પણ શરીરને સર્વથા છોડીને તે ઊર્ધ્વ-લોકાંત સુધી ચાલ્યો જાય છે. અહીં મૂળપાઠમાં ‘ોનિય-એટલો જ પાઠ છે. તૈજસનો ઉલ્લેખ નથી, બ્રહવૃત્તિકારે ઉપલક્ષણથી તેનો સ્વીકાર કર્યો છે." ઔપપાતિકમાં તૈજસ-શરીરનું પ્રત્યક્ષ ગ્રહણ છે.* ગતિ બે પ્રકારની હોય છે—(૧) ઋજુ અને (૨) વક્ર મુક્ત-જીવનું ઊર્ધ્વગમન ઋજુ શ્રેણી (ઋજુ આકાશ પ્રદેશની પંક્તિ) વડે થાય છે, એટલા માટે તેની ગતિ ઋજુ હોય છે. તે એક ક્ષણમાં જ સંપન્ન થઈ જાય છે. ગતિના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે–(૧) પ્રયોગ ગતિ, (૨) તત ગતિ, (૩) બંધન-છેદન ગતિ, (૪) ઉપપાત ગતિ અને (૫) વિહાયો ગતિ, વિહાયો ગતિ ૧૭ પ્રકારની હોય છે. તેના પ્રથમ બે પ્રકાર છે–(૧) સ્પૃશદ્ ગતિ અને (૨) અસ્પૃશ ગતિ. એક પરમાણુ યુગલ બીજા પરમાણુ પુદગલો કે સ્કંધોનો સ્પર્શ કરતાં-કરતાં ગતિ કરે છે, તે ગતિને “સ્પૃશદ્ર ગતિ કહેવામાં આવે છે. એક પરમાણુ બીજા પરમાણુ પુદ્ગલો તથા સ્કંધોનો સ્પર્શ ન કરતાં ગતિ કરે છે, તે ગતિને ‘અસ્પૃશ ગતિ' કહેવામાં આવે છે.” મુક્ત-જીવ અસ્પૃશદ્ ગતિથી ઉપર જાય છે. શાન્તાચાર્ય અનુસાર અસ્પૃશદ્ ગતિનો અર્થ એવો નથી કે તે આકાશપ્રદેશોનો સ્પર્શ કરતો નથી, પરંતુ તેનો અર્થ એવો છે કે તે મુક્ત જીવ જેટલા આકાશ-પ્રદેશોમાં અવગાઢ થાય છે, તેટલાં જ આકાશ-પ્રદેશોનો સ્પર્શ કરે છે, તે સિવાયના પ્રદેશોનો નહિ, એટલા માટે તેને અસ્પૃશદ્-ગતિ કહેવામાં આવેલ છે. ૧. ગોવાફ, સૂત્ર ૨૮૨ (ખ) એજન, તથા રૂ૬૮૨ : “સમ્પર્સ યોજી' विशेषावश्यक भाष्य, गाथा ३८३६ : ५. बृहद्वृत्ति, पत्र ५९७ : औदारिक कार्मणे शरीरे देहतिभागो सुसिरं, तत्पूरणओ तिभागहीणो त्ति । उपलक्षणत्वात्तैजसं च। से जोगनिरोहे च्चिय, जाओ सिद्धो वि तदवत्थो । મોવાર્થ, સૂત્ર ૨૮૨ : ઘવેત્તા મોરાત્નિ તેવÍTÉ ... | ૩. (ક) ૩ત્તાયurifણ, રૂદ્દ ૬૪ 1 पण्णवणा, पद १६ । १७, ३७ । (ખ) મોવાડુાં, સૂત્ર ૧૨૬ / ૮. એજન, પર્વ ૨૬ / ૩૬, ૪૦ | ४. (6) विशेषावश्यक भाष्य, गाथा ३६८१ : देह ८. बृहद्वृत्ति, पत्र ५९७ : अस्पृशद्गतिरिति, नायमर्थो यथा तिभागं च मुंचंतो'। नायमाकाशप्रदेशान्न स्पृशति अपि तु यावत्सु जीवोऽवगाढ़स्तावत् एव स्पृशति न तु ततोऽतिरि-क्तमेकमपि प्रदेशम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy