SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણાણિ અધ્યયન-૨૯ : ટિપ્પણ ૬૯-૭૦ ક્રોધ-વિજયથી ક્ષાંતિ ઉત્પન્ન થાય છે તથા ક્રોધ-વેદનીય કર્મનો બંધ નથી થતો અને પૂર્વબદ્ધ ક્રોધ-વેદનીય કર્મની નિર્જરા થાય છે. ૬૯. (સૂત્ર ૬૭) ઈન્દ્રિય-ચેતના મન સાથે સર્વથા પ્રતિબદ્ધ નથી હોતી. તેની સ્વતંત્રતા પણ છે. એટલા માટે કોઈ વ્યક્તિમાં સંગીત સાંભળવાની અધિક રુચિ હોય છે, કોઈમાં રસાસ્વાદનની અને કોઈમાં દૃશ્યોને જોવાની. આ રુચિની વિચિત્રતા ઈન્દ્રિયચેતનાની સ્વતંત્રતાનું પ્રમાણ છે. જો ઈન્દ્રિય-ચેતના મન સાથે સર્વથા પ્રતિબદ્ધ હોય તો તે સમાન રૂપે કાર્ય કરે. ૭૦. (સૂત્ર ૭૨) જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનથી થાય છે. તેમના પર વિજય પ્રાપ્ત કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના આપમેળે જ થઈ જાય છે. જે વ્યક્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે તે આઠ કર્મોમાં જે કર્મ–ગ્રંથિ – ઘાતી-કર્મનો સમુદય છે, તેને તોડી નાખે છે. તે સહુ પ્રથમ મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકૃતિઓને ક્ષીણ કરે છે. ક્ષીણ કરવાનો ક્રમ આ રીતે છે—તે સહુ પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના મોટા ભાગને અંતર્મુહૂર્તમાં એકસાથે ક્ષીણ કરે છે અને તેના અનંતમાં ભાગને મિથ્યાત્વના પુદ્ગલોમાં પ્રક્ષિપ્ત કરી દે છે. પછી તે પ્રક્ષિપ્ત પુદ્ગલોની સાથે મિથ્યાત્વના મોટા ભાગને ક્ષીણ કરે છે અને તેના અંશને સમ્યક્-મિથ્યાત્વમાં પ્રક્ષિપ્ત કરી દે છે. ફરી તે પ્રક્ષિપ્ત પુદ્ગલોની સાથે સમ્યક્ મિથ્યાત્વને ક્ષીણ કરે છે. આ જ રીતે સમ્યક્-મિથ્યાત્વના અંશ સહિત સમ્યક્ત્વ-મોહનાં પુદ્ગલોને ક્ષીણ કરે છે. ત્યારબાદ સમ્યક્ત્વ-મોહનાં બાકી બચેલા પુદ્ગલો સહિત અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-ચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ)ને ક્ષીણ ક૨વાનું શરૂ કરી દે છે. તેના ક્ષય-કાળમાં બે ગતિઓ (નરક ગતિ અને તિર્યંચ ગતિ), બે આનુપૂર્વીઓ (નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, જાતિ-ચતુષ્ક (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય), આતપ, ઉદ્યોત, સ્થાવર નામ, સૂક્ષ્મ નામ, સાધારણ, અપર્યાપ્ત, નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા અને સ્થાનર્દિને ક્ષીણ કરે છે. પછી તેમના અવશેષોને નપુંસક-વેદમાં પ્રક્ષિપ્ત કરી તેને ક્ષીણ કરે છે. તેના અવશેષને સ્ત્રી–વેદમાં પ્રક્ષિપ્ત કરી તેને ક્ષીણ કરે છે. તેના અવશિષ્ટ અંશને હાસ્યાદિ-ષટ્ક (હાસ્ય,રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા)માં પ્રક્ષિપ્ત કરી તેને ક્ષીણ કરે છે. મોહનીય કર્મને ક્ષીણ કરનાર જો તે પુરુષ હોય છે તો પુરુષ-વેદના બે ખંડોને અને સ્ત્રી કે નપુંસક હોય છે તો તે પોતપોતાના વેદના બે-બે ખંડોને હાસ્યાદિ ષટ્કના અવશિષ્ટ અંશો સહિત ક્ષીણ કરે છે. પછી વેદના તૃતીય ખંડ સહિત સંજ્વલન ક્રોધને ક્ષીણ કરે છે. એ જ રીતે પૂર્વાશ સહિત સંજવલન, માન, માયા અને લોભને ક્ષીણ કરે છે. તે યંત્ર જુઓ— ૧. ૭૪૮ વૃત્તવૃત્તિ, પત્ર ૧૬૪-૬૬ । ક્ષય (૧) અનંતાનુબંધી ચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ) (૨) પૂર્ણાંશ સહિત મિથ્યાત્વ (૩) પૂર્વીશ સહિત સમ્યક્ મિથ્યાત્વ (૪) પૂર્વીશ સહિત સમ્યક્ત્વ (૫) પૂર્ણાંશ સહિત અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-ચતુષ્ક નપુંસક-વેદમાં. (૬) પૂર્ણાંશ સહિત નપુંસક-વેદ સ્ત્રી-વેદમાં. Jain Education International અવશિષ્ટ અંશનો પ્રક્ષેપ મિથ્યાત્વનાં પુદ્ગલોમાં. સમ્યક્ મિથ્યાત્વનાં પુદ્ગલોમાં. સમ્યક્ત્વનાં પુદ્ગલોમાં. અપ્રત્યાખ્યાન-ચતુષ્ક અને પ્રત્યાખ્યાન-ચતુષ્કમાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy