________________
સમ્યક્ત-પરાક્રમ
૭૦૫
અધ્યયન-૨૯: આમુખ
(૨) સુખ-દુઃખમાં સમ રહેવાની સ્થિતિની પ્રાપ્તિ. (સૂ૩૭) યોગ-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) સ્થિરતા. (૨) નવીન કર્મનું અગ્રહણ અને પૂર્વાર્જિત કર્મનો વિલય. (સૂ૩૮) શરીર-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) આત્માનો પૂર્ણોદય. (૨) લોકાગ્ર સ્થિતિ. (૩) પરમ સુખની પ્રાપ્તિ. (સૂ૩૯) સહાય-પ્રત્યાખ્યાનનાં ફળ :, (૧) એકલાપણાની પ્રાપ્તિ. (૨) કલહ વગેરેમાંથી મુક્તિ (૩) સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ ઉપલબ્ધિ. (સૂ. ૪૦) ભક્ત-પ્રત્યાખ્યાન–અનશનનું ફળ :
(૧) જન્મ-પરંપરાનું અલ્પીકરણ. (સૂ૪૧) સદ્ભાવના-પ્રત્યાખ્યાન–પૂર્ણ સંવરનાં ફળ : (૧) અનિવૃત્તિ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો સર્વથા અને સર્વદા અભાવ. (૨) અઘાતી-કર્મનો વિલય. (૩) સર્વ દુઃખ-મુક્તિ. (સૂ૪૨) પ્રતિરૂપતા–અચલકતાનાં ફળ : (૧) લાઘવ, (ર) અપ્રમાદ, (૩) પ્રકટ લિંગ હોવું. (૪) પ્રશસ્ત લિંગ હોવું. (૫) વિશુદ્ધ સમ્યક્ત. (૬) સત્ત્વ અને સમિતિની પ્રાપ્તિ કરવી. (૭) સર્વત્ર વિશ્વસનીય બનવું. (૮) અપ્રતિલેખના. (૯) જિતેન્દ્રિયતા. (૧૦) વિપુલ તપ સહિત હોવું-પરીષહ-સહિષ્ણુ થવું. (સૂ૪૩) વૈયાવૃજ્યનું ફળ :
(૧) ધર્મ-શાસનના સર્વોચ્ચ પદ તીર્થકરત્વની પ્રાપ્તિ. (સૂ૦૪૪) સર્વ-ગુણ સમ્પન્નતાનાં ફળ : (૧) અપુનરાવૃત્તિ–મોક્ષની પ્રાપ્તિ. (૨) શારીરિક અને માનસિક દુઃખોમાંથી પૂર્ણ મુક્તિ. (સૂ૦૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org