________________
ઉત્તરઝષણાણિ
૭૦૪
અધ્યયન-૨૯: આમુખ
સુખ-સ્પૃહી ત્યજવાનાં ફળ : (૧) અનુત્સુક મનોભાવ. (૨) અનુકંપાપૂર્ણ મનોભાવ. | (૩) પ્રશાંતતા. (૪) શોકરહિત મનોભાવ. (૫) ચારિત્રને વિકૃત કરનાર મોહનો વિલય. (સૂ૩૦) અપ્રતિબદ્ધતા-માનસિક અનાસક્તિનાં ફળ : (૧) નિઃસંગતા–નિર્લેપતા. (૨) ચિત્તની એકાગ્રતા. (૩) પ્રતિપળ અનાશક્તિ. (સૂ૩૧) વિવિક્ત શયનાસનનાં ફળ : (૧) ચારિત્રની સુરક્ષા. (૨) વિવિક્ત-આહાર-વિકૃતિ-રહિત ભોજન. (૩) નિસ્પૃહતા. (૪) એકાંત રમણ. (૫) કર્મ-ગ્રંથિનો મોક્ષ. (સૂ૩૨) વિનિવર્નના–વિષયોમાંથી મનને વાળી લેવાનાં ફળ : (૧) પાપાચરણ પ્રત્યે અનુત્સાહ. (ર) અશુભ સંસ્કારોના વિલયનો પ્રયત્ન. (૩) સંસારની પાર-પ્રાપ્તિ. (સૂ૩૩) સંભોજ (મંડલી-ભોજન)-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) પરાવલંબનમાંથી મુક્તિ. (૨) પ્રવૃત્તિઓનું મોક્ષ તરફ કેન્દ્રીકરણ. (૩) પોતાના લાભમાં સંતુષ્ટિ અને પરલાભ પ્રત્યે નિસ્પૃહતા. (૪) બીજી સુખ-શયાની પ્રાપ્તિ. (સૂ૩૪) ઉપધિ-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) પ્રતિલેખના વગેરે વડે થનારી સ્વાધ્યાયની ક્ષતિમાંથી બચાવ. (૨) વસ્ત્રની અભિલાષામાંથી મુક્તિ. (૩) ઉપધિ વિના થનાર સંક્લેશનો અભાવ. (સૂ૩૫) આહાર-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) જીવવાના મોહમાંથી મુક્તિ. (૨) આહાર વિના થનાર સંક્લેશનો અભાવ. (સૂ૩૬) કષાય-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) વીતરાગતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org