________________
સમ્યક્ત-પરાક્રમ
૭૦૧
૭૦૧
અધ્યયન-૨૯: આમુખ
(૫) મિથ્યાત્વ-વિશુદ્ધિ (૬) તે જ જન્મમાં કે ત્રીજા જન્મમાં મુક્તિ (સૂ. ૨) નિર્વેદનાં ફળ :
(૧) કામ-ભોગો પ્રત્યે અનાસક્ત ભાવ. (૨) ઈન્દ્રિયોના વિષયોમાં વિરક્તિ. (૩) આરંભ-પરિત્યાગ. (૪) સંસાર-માર્ગનો વિચ્છેદ અને મોક્ષમાર્ગનો સ્વીકાર. (સૂ૩) ધર્મ-શ્રદ્ધાનાં ફળ : (૧) સુખ-સગવડ પ્રત્યે વિરક્તિ. (૨) અનગાર-ધર્મનો સ્વીકાર. (૩) છેદન-ભેદન વગેરે શારીરિક અને સંયોગ-વિયોગ વગેરે માનસિક દુઃખોનો ઉચ્છેદ, (૪) નિબંધ-સુખની પ્રાપ્તિ. (સૂ૦૪) ગુરુ અને સાધર્મિકોની સેવાનાં ફળ : (૧) વિનય-પ્રતિપત્તિ–આવશ્યક કર્તવ્યોનું પાલન. (૨) અનાશાતનશીલતા-ગુરુજનોની અવજ્ઞા વગેરેથી દૂર રહેવાની મનોવૃત્તિ. (૩) દુર્ગતિનો નિરોધ. (૪) ગુણ-ગ્રાહિતા, ગુણ-પ્રકાશન, ભક્તિ અને બહુમાનની મનોવૃત્તિનો વિકાસ. (૫) સુગતિ તરફ પ્રયાણ. (૬) વિનય-હેતુક જ્ઞાન વગેરેની પ્રાપ્તિ. (૭) બીજાઓને સેવા-ધર્મમાં પ્રવૃત્ત કરવા. (સૂ૫) આલોચનાનાં ફળ : (૧) આંતરિક શલ્યોની ચિકિત્સા. (૨) સરળ મનોભાવની વિશેષ ઉપલબ્ધિ. (૩) તીવ્રતમ વિકારોથી દૂર રહેવાની ક્ષમતા અને પૂર્વ-સંચિત વિકારના સંસ્કારોનો વિલય. (સૂ) ૬) આત્મ-નિંદાનાં ફળ : (૧) પશ્ચાત્તાપ-પૂર્ણ મનોભાવ. (૨) અભૂતપૂર્વ વિશુદ્ધિની પરિણામ-ધારાનો પ્રાદુર્ભાવ. (૩) મોહનો વિલય. (સૂ૭) આત્મ-ગનાં ફળ : (૧) પોતાને માટે અવજ્ઞાપૂર્ણ વાતાવરણનું નિર્માણ. (૨) અપ્રશસ્ત આચરણમાંથી નિવૃત્તિ. (૩) જ્ઞાન વગેરેનાં આવરણનો વિલય. (સૂ૮) સામાયિકનાં ફળ : (૧) વિષમતાપૂર્ણ મનોભાવ સાવધ પ્રવૃત્તિ)ની વિરતિ. (સૂડ૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org