________________
મોક્ષ-માર્ગ-ગતિ
૧૬. (શ્લોક ૧૪)
સ્થાનાંગમાં તથ્યના સ્થાને ‘સદ્ભાવપદાર્થ’ શબ્દનો પ્રયોગ થયો છે. તથ્ય, પદાર્થ અને તત્ત્વ—આ બધા પર્યાયવાચી છે. વૃત્તિકા૨ે તથ્યનો અર્થ અવિતથ કર્યો છે. અવિતથ તે હોય છે જેમનું અસ્તિત્વ વાસ્તવિક હોય છે. આ નવ તથ્યો કાલ્પનિક નથી, પરંતુ વાસ્તવિક છે.
આ શ્લોકમાં નવ તત્ત્વોનો ઉલ્લેખ થયો છે. વાસ્તવિક રીતે તત્ત્વ બે જ છે—(૧) જીવ અને (૨) અજીવ.
નવ તત્ત્વો આ બે વિભાગોમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમ કે—જીવ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ—જીવમાં. અજીવ, પુણ્ય, પાપ અને બંધ–અજીવમાં,
આસ્રવ વગેરે આત્માના જ વિશેષ પરિણામો છે અને પુણ્ય, પાપ વગેરે પૌદ્ગલિક કર્મો અજીવના જ વિશેષ પરિણામો છે. જે રીતે લોકની વ્યવસ્થા માટે છ દ્રવ્યો આવશ્યક છે, તે જ રીતે આત્માના આરોહ અને અવરોહને જાણવા માટે નવ તત્ત્વ ઉપયોગી છે. તેમના વિના આત્માના વિકાસ કે ડ્રાસની પ્રક્રિયા બુદ્ધિગમ્ય થઈ શકતી નથી.
એકેન્દ્રિય
દિગંબર ગ્રંથોમાં નવ તત્ત્વોના સ્થાને સાત તત્ત્વ માનવામાં આવ્યા છે. પુણ્ય-પાપને બંધની અંતર્ગત માનવામાં આવ્યા છે. બંને માન્યતાઓ આપેક્ષિક છે, તેમાં સ્વરૂપ-ભેદ કંઈ પણ નથી.
નવ તત્ત્વ તથા તેમના ભેદ-પ્રભેદ
પુણ્ય
અન્નપુણ્ય
૧.
સંસારી
Jain Education International
૬૮૩
પ્રત્યેક
-
દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય
પાપ બંધ ધર્માસ્તિકાય
દાળ, ૧ । ૬ ।
જીવ
ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય
અજીવ
અધર્માસ્તિકાય પુણ્ય (શુભ કર્મ)
પાનપુણ્ય લયનપુણ્ય શયનપુણ્ય વસ્ત્રપુણ્ય
એકેન્દ્રિય (વનસ્પતિ)
૨.
અધ્યયન-૨૮ : ટિ. ૧૬
સાધારણ
મુક્ત
આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય
મનપુણ્ય વચનપુણ્ય કાયપુણ્ય
For Private & Personal Use Only
નમસ્કારપુણ્ય
बृहद्वृत्ति, पत्र ५६२ : तथ्या: अवितथा: निरुपचरित-वृत्तयः ।
www.jainelibrary.org