________________
ઉત્તરષ્નયણાણિ
૬૮૨
અધ્યયન-૨૮: ટિ.૧૫
મીમાંસાકાર એમ માને છે–દર્પણમાં છાયા પડતી નથી, પરંતુ નેત્રના કિરણો દર્પણ સાથે ટકરાઈને પાછા ફરે છે અને પોતાના મુખને જુએ છે.'
રાજવલ્લભકોષ (પા૨૨)માં “છીયા દ્રારશ્રમધેરા મધુરશીતતા' કહેવામાં આવ્યું છે. આ જ વાત રાજનિઘંટુકોશમાં પણ કહેવામાં આવી છે.
ન્યાયવાર્તિક તાત્પર્યટીકા (પૃ.૩૪૫)માં છાયાને ‘અભાવરૂપ’ માનવામાં આવેલ છે. વિશેષ વિવરણ માટે જુઓન્યાયકુમુદચન્દ્ર, પૃ. ૬૬૭-૬૭૨.
કુમારિલ ભટ્ટ પ્રતિબિંબને અભાવરૂપ માને છે.” ૧૫. (શ્લોક ૧૩)
પ્રસ્તુત શ્લોકમાં પર્યાયના છ લક્ષણો બતાવવામાં આવ્યા છે. તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે–
૧. એકત્વ–પ્રત્યેક સ્કંધના પરમાણુઓ ભિન્ન-ભિન્ન હોય છે, છતાં પણ તેમના સંઘાતમાં એકત્વની અનુભૂતિ થાય છે. આ એવ-લક્ષણ છે. જેવી રીતે–પ્રત્યેક ઘટના પરમાણુ પૃથફ-પૃથફ હોય છે, પરંતુ આ ઘટ છે એ એકત્વનું વાચક બને છે.
૨. પૃથક્વ–“આ આનાથી પૃથફ છે આ અનુભૂતિનો હેતુ પર્યાયનું પૃથક્ત લક્ષણ છે. ૩. સંખ્યા–એક, બે, ત્રણ વગેરેની પ્રતીતિનો હેતુભૂત પર્યાય. ૪. સંસ્થાન–આકાર-વિશેષમાં સંસ્થિત હોવું. આ વર્તુળ છે–આવી બુદ્ધિનો હેતુભૂત પર્યાય. ૫. સંયોગ-બે વસ્તુઓનો સંયોગ-આ પ્રકારના વ્યપદેશનો હેતુભૂત પર્યાય. દ, વિભાગ-“આ આનાથી વિભક્ત છે?—આવી બુદ્ધિનો હેતુભૂત પર્યાય.
પૃથકત્વ અને વિભાગ–એક નથી. વિભાગ સંયોગનો ઉત્તરકાલીન પર્યાય છે અને પૃથક્ત બે વસ્તુઓમાં ભેદ કરનાર પર્યાય છે, જેમ કે—ધટ અને પટ. બે આંગળીઓને ભેગી કરી. આ સંયોગ છે. તેમને જુદી કરી. આ વિભાગ છે. ઘટ અને પટમાં મૂળથી ભિન્નતા છે, એટલા માટે તેમનામાં પૃથક્વ પર્યાય છે, વિભાગ પર્યાય નથી.
વૈશેષિક દર્શનમાં ગુણના ૨૪ પ્રકાર માનવામાં આવ્યા છે. તેમાં સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ અને વિભાગ-આ પાંચ ગુણ છે. તેમની પરિભાષા આ પ્રમાણે છે
૧. સંખ્યા–“પુત્વવ્યવહારઃ સંધ્યા'—જે ગુણના કારણે એક-બે વગેરે શબ્દોનો વ્યવહાર કરવામાં આવે છે, તેને સંખ્યા કહે છે.
૨. પરિમાણ–‘માનવ્યવહારમાં પરિમા'—જે ગુણના આધારે માપ કરવામાં આવે છે, તેને પરિમાણ કહે છે. ૩. પૃથક્વ–પૃથવ્યવહારવારનું પૃથક્વનું–‘આ તેનાથી અલગ છે'—એવું જ્ઞાન જે આધારે થાય છે તેને પૃથક્ત કહે છે.
૪. સંયોગ-સંયુpવ્યવહાહે: સંયો:–“આ પદાર્થ તેની સાથે સંયુક્ત છે?—આવો પ્રયોગ જેના આધારે થાય છે તે સંયોગ છે.
૫. વિભાગ-સંયોગનાશકો છો વિશ:'—જેના દ્વારા સંયોગનો નાશ થાય છે તેને વિભાગ કહે છે. બીશા સ્નોલવાર્તિા, ૧૮૦-૧૮૨:
૨. તત્ત્વસંપ્રદાવિ, પૃ. ૪૬૮,૬૨૭:... તો નાર્યેવર્િ अत्र बूमो यदा तावज्जले सौर्येण तेजसा ।
वस्तु भूतं प्रतिबिम्बकं नाम । स्फुरता चाक्षुषं तेजः प्रतिस्रोतःप्रवर्तितम् ॥
बृहद्वृत्ति, पत्र ५६२। स्वदेशमेव गृणाति सवितारमनेकधा ।
૪. ભારતીય પરિવા, ઉંદ૨, પૃ. ૬૬-૭૦. भिन्नमूर्तिर्यथापात्रं तदास्यानेकता कुतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org