SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગાપુત્રીય ૪૮૧ અધ્યયન ૧૯: સ્લોક ૩-૫ ટિપ-૯ પ. દોગુન્દગ (સોનું) ‘દોગુન્દગ’ ત્રાયશ્ચિલ જાતિના દેવો હોય છે. તેઓ સદા ભોગ-પરાયણ હોય છે. તેમની વિશેષ જાણકારી માટે જુઓ– ભગવતી, ૧૦૪. ૬. મણિ અને રત્ન (ારયા) સામાન્યતઃ મણિ અને રત્ન પર્યાયવાચી શબ્દો માનવામાં આવે છે. વૃત્તિકારે તેમનામાં એવો ભેદ કર્યો છે કે વિશિષ્ટ માહાભ્યયુક્ત રત્નોને “મણિ' કહે છે, જેમકે ચંદ્રકાન્તમણિ, સૂર્યકાન્તમણિ વગેરે વગેરે તથા બાકીના ગોમેદ, વગેરે રત્ન’ કહેવાય છે. ૭. ગવાક્ષ (ાનોય) દશવૈકાલિક, પ૧/૧૫માં ગવાક્ષના અર્થમાં ‘કાનોનો પ્રયોગ થયો છે. અહીં તે જ અર્થમાં ‘કાનીયા' છે. શાન્તાચાર્યે તેનો એક અર્થ ‘સૌથી ઊંચી ચતુરિકા' પણ કર્યો છે. ગવાક્ષ કે ચતુરિકા વડે દિશાઓનું આલોકન કરી શકાય છે, એટલા માટે તેને ‘આનોવન' કહેવામાં આવે છે.? ૮. નિયમ (નિયમ) મહાવ્રત, વ્રત, નિયમ–આ બધા સાધારણપણે સંવરના વાચક છે. પરંતુ રૂઢિવશાત્ તેમનામાં અર્થભેદ પણ છે. યોગદર્શન સંમત અષ્ટાંગ યોગમાં નિયમનું બીજું સ્થાન છે. તદનુસાર શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતાપ્રણિધાન–આ બધા નિયમો કહેવાય છે." જૈન વ્યાખ્યા અનુસાર જે વ્રતોમાં જાતિ, દેશ, કાળ, સમય વગેરેનો અપવાદ નથી હોતો, તે “મહાવ્રત' કહેવાય છે. જે વ્રતો અપવાદ સહિત હોય છે, તે ‘વ્રત' કહેવાય છે. ઐચ્છિક વ્રતોને ‘નિયમ” કહેવામાં આવે છે. શાન્તાચાર્યે ‘અભિગ્રહાત્મક વ્રત’ને ‘નિયમ' કહેલ છે.* ૯. શીલથી સમૃદ્ધ (સત્ર) વૃત્તિકારે શીલનો અર્થ—અષ્ટાદશ સહસ્ર શીલાંગ કર્યો છે. વિસ્તાર માટે જુઓ–ઉત્તરાધ્યયન, ૧૯૨૪નું ટિપ્પણ, १. बृहद्वृत्ति, पत्र ४५१ : दोगुन्दगाश्च त्रायस्त्रिंशाः तथा च वृद्धाः "त्रायस्त्रिंशा देवा नित्यं भोगपरायणा दोगुंदुगा इति મuiતિ' | ૨. એજન,ત્ર ૪૨: માયશ્ર–વિશિષ્ટHTહાલ્યાદ્રશાંતા दयो, रत्नानि च-गोमेयकादीनि मणिरत्नानि ।। ૩. એજન, પત્ર ૪૫૬ : માનવીને વિરોfમન સ્થિતૈ रित्यालोकनं प्रासादे प्रासादस्य वाऽऽलोकनं प्रासादालोकनं तस्मिन् सर्वोपरिवर्तिचतुरिकारूपे गवाक्षे । ૪. પતંગન પાલન, રા ૨૧ : યમનિયમાનVIVITયામ प्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावंगानि । ૫. એજન, ૨ા ૨૨ : વસંતોષતપસ્વાધ્યાયેશ્વરપ્રાધાનાનિ નિયમ:. ૬. વૃત્તિ , પત્ર ૪૫ - ૪૫૨ : નિયમ-વ્યાધિ हात्मकः। ૭. વૃત્તિ, પત્ર ૪૨ : નં – માદશીનાક્ષત્ર રૂપમ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy