SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ અધ્યયન ૧૯ઃ મૃગાપુત્રીય ૧. કાનન અને ઉદ્યાન (ાગપુના) કાનન તે કહેવાય છે જ્યાં મોટાં વૃક્ષો હોય." ઉદ્યાનનો અર્થ છે–કીડા-વન, વૃત્તિકારે ઉદ્યાનનો અર્થ ‘આરામ' પણ કર્યો છે. આરામ જન-સાધારણ માટે ઘૂમવા-ફરવાનું સ્થાન હતું. ક્રીડા-વન એવું સ્થાન હતું કે જ્યાં નૌકાવિહાર, ખેલ-કૂદ તથા બીજી-બીજી ક્રીડાસામગ્રીની સુલભતા રહેતી. જુઓ-દશવૈકાલિક, ૬૧નું ટિપ્પણ. ૨. બલશ્રી (વર્નાસિરી) મૃગાપુત્રનાં બે નામ હતાં–બલશ્રી અને મુગાપુત્ર. ‘બુલશ્રી’ માતા-પિતા દ્વારા અપાયેલું નામ હતું અને જનસાધારણમાં તે મૃગાપુત્ર'ના નામે પ્રસિદ્ધ હતો. ૩. યુવરાજ (ગુવરાયા) રાજાઓમાં એવી પરંપરા હતી કે મોટો પુત્ર જ રાજ્યનો અધિકારી બનતો. તે જ્યારે રાજ્યનો કારભાર સંભાળવા માટે સમર્થ બની જતો ત્યારે તેને ‘યુવરાજ’ પદ આપવામાં આવતું. તે રાજયપદની પૂર્વ-સ્વીકૃતિનું વાચક છે. પ્રાચીન સાહિત્યમાં એવું મળે છે કે રાજયાભિષેક પૂર્વે યુવરાજ પણ એક મંત્રી ગણાતો, જે રાજાને રાજ્યસંચાલનમાં સહાય કરતો. તેની વિશેષ મુદ્રા રહેતી અને તેની પદવીનું સૂચક એક નિશ્ચિત પદ પણ રહેતું. ‘યુવરાજ’ને ‘તીર્થ પણ કહેવામાં આવ્યો છે. કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં ૧૮ તીર્થ ગણાવ્યાં છે, તેમાં યુવરાજ'નો ઉલ્લેખ પણ થયો છે. ‘તીર્થ'નો અર્થ છે–મહા અમાત્ય.' ૪. દીશ્વર (પીસર) શાન્તાચાર્ય આના બે અર્થ આપ્યા છે(૧) ઉદ્ધત વ્યક્તિઓનું દમન કરનાર રાજાઓનો ઈશ્વર, (૨) ઉપશમશીલ વ્યક્તિઓનો ઈશ્વર. પ્રથમ અર્થ વર્તમાન અવસ્થાનો બોધક છે અને બીજો ભવિષ્યકાળની અપેક્ષાથી કહેવામાં આવે છે." નેમિચંદ્ર માત્ર બીજો અર્થ જ કર્યો છે.” १. सुखबोधा, पत्र २६० : काननानि-बृहवृक्षाश्रयाणि वनानि। ૨. એજન, પન્ન ર૬૦ : ઉદ્યાનમારમ: #ીડાવનાર વા ! 3. बृहद्वृत्ति, पत्र ४५१: बलश्री: बलश्रीनामा मातापित विहितनाम्ना लोके च मृगापुत्र इति । ૪. કૌટિલ્ય અર્થશાસ્ત્ર, છારા ૮, પૃ. ૨૨-૨૩ ! ૫. વૃદત્ત, પત્ર ૪૨ : મન- મનનાને च राजानस्तेषामीश्वरः - प्रभुर्दमीश्वरः, यद्वा दमिन:उपशमिनस्तेषां सहजोपशमभावत ईश्वरो दमीश्वरः, भाविकालापेक्षं चैतत्। ૬. મુઉધા, પત્ર રદ્દ : ‘મૌરિ' gિ fમના — પાપ नामीश्वरो दमीश्वरः, भाविकालापेक्षं चैतत् । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy