SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયીય આ રીતે આ બધાના ૩૬૩ ભેદ થાય છે. અકલકદેવે આ વાદોના આચાર્યોનો પણ નામોલ્લેખ કર્યો છે – ૪૫૧ કોક્કલ, કાંઠેવિદ્ધિ, કૌશિક, હરી, શ્મશ્રુમાન, કપિલ, રોમશ, હારિત, અશ્વ, મુંડ, આશ્વલાયન વગેરે ૧૮૦ક્રિયાવાદના આચાર્યો અને તેમના મતો છે. મરીચિ, કુમાર, ઉલૂક, કપિલ, ગાર્ગી, વ્યાઘ્રભૂતિ, વાદ્બલિ, માઠર, મૌદ્ગલ્યાયન વગેરે ૮૪ અક્રિયાવાદના આચાર્યો અને તેમના મતો છે. સાકલ્પ, વાષ્કલ, કુથુમિ, સાત્યમુગ્નિ, ચારાયણ, કાઠ, માથંદિની, મૌદ, પૈપ્પલાદ, બાદરાયણ, સ્વિષ્ટિકૃત, ઐતિકાયન, વસુ, જૈમિની વગેરે ૬૭ અજ્ઞાનવાદના આચાર્યો અને તેમના મતો છે. વશિષ્ટ, પારાશર, જતુકર્ણ, વાલ્મીકિ, રોમહર્ષિણિ, સત્યદત્ત, વ્યાસ, એલાપુત્ર, ઔપમન્યવ, ઈન્દ્રદત્ત, અયસ્કૂલ વગેરે ૩૨ વિનયવાદના આચાર્યો અને તેમના મતો છે. અધ્યયન ૧૮ : શ્લોક ૨૬, ૨૮ ટિ ૧૪-૧૬ આ સંસારમાં ભિન્ન-ભિન્ન રુચિવાળા લોકો છે. કેટલાક ક્રિયાવાદમાં વિશ્વાસ રાખે છે અને કેટલાક અક્રિયાવાદમાં. રાજર્ષિએ કહ્યું–ધીર પુરુષ ક્રિયાવાદમાં રુચિ રાખે અને અક્રિયાવાદનો ત્યાગ કરે. જૈન દર્શન ક્રિયાવાદી છે. પરંતુ એકાંત-ષ્ટિ નથી, એટલા માટે તે સમ્યવાદ છે. જેના વડે આત્મા વગેરે તત્ત્વમાં વિશ્વાસ હોય છે, તે જ ક્રિયાવાદ (અસ્તિત્વવાદ)નું નિરૂપણ કરી શકે છે." જુઓ–૨૪મું ટિપ્પણ. ૧૫. મહાપ્રાણ (મદાપાને) ૧૪. (શ્લોક ૨૬) ક્ષત્રિય શ્રમણે કહ્યું—હું તે માયાપૂર્ણ એકાંતવાદોથી બચીને રહું છું અને ચાલું છું. વૃત્તિકાર અનુસાર ક્ષત્રિય મુનિએ આ વાત સંજયમુનિના સ્થિરીકરણ માટે કરી. આ પાંચમા દેવલોકનું એક વિમાન છે. ૧૬. મેં ત્યાં પૂર્ણ આયુષ્યનો ભોગ કર્યો છે (સિસોવમે) મનુષ્ય-લોકમાં સો વર્ષનું આયુષ્ય પૂર્ણ આયુષ્ય મનાય છે. આ જ દૃષ્ટિએ દેવલોકના પૂર્ણ આયુષ્ય સાથે તેની તુલના કરવામાં આવી છે. ક્ષત્રિય મુનિએ કહ્યું—જેવી રીતે મનુષ્ય અહીં સો વર્ષનું આયુષ્ય ભોગવે છે, તેવી રીતે મેં ત્યાં દિવ્ય સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું છે. १. बृहद्वृत्ति, पत्र ४४४ : तत्र तावच्छतमशीतं क्रियावादिनां अक्रियावादिनश्च चतुरशीतिसंख्याः, अज्ञानिकाः सप्तषष्टिविधा:, वैनयिकवादिनो द्वात्रिंशत् एवं त्रिषष्ट्यधिकशतत्रयम् । ૨. તત્ત્વાર્થ ાનવાતિ, ૮ ૬, પૃ. ૬૨ । ૩. સૂયગડો, ૨।૨૦। ૯ । ૪. ઉત્તરીયાળ, ૧૮૧૩૩ । ૫. સૂયગડો, ૧।૧૨।૨૦-૨૧ । ૬. વૃત્તવૃત્તિ, પત્ર ૪૪૯ : સંગમમાળોવિ’ ત્તિ ‘પિ' દ્વારાर्थस्ततः संयच्छन्नेव - उपरमन्नेव तदुक्त्याकर्णनादित: 'अहम्' Jain Education International इत्यात्मनिर्देशे विशेषतस्तत्स्थिरीकरणार्थम् उक्तं हि‘વિતો નાવણ પર' તિ । बृहद्वृत्ति, पत्र ४४५ : महाप्राणे महाप्राणनाम्नि ब्रह्मलोकविमाने । ८. बृहद्वृत्ति, पत्र ४४५ : ' वरिससतोवमे ' त्ति वर्षशतजीविना उपमा - दृष्टान्तो यस्यासौ वर्षशतोपमो मयूरव्यंसकादित्वात्समासः, ततोऽयमर्थ:- यथेह वर्षशतजीवी इदानीं परिपूर्णायुरुच्यते, एवमहमपि तत्र परिपूर्णायुरभूवम् । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy