SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૪૩૪ અધ્યયન ૧૭ઃ શ્લોક ૧૮-૨૦ટિ ૨૧-૨૪ ૨૧. એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે છે (ાUિ ) ભગવાન મહાવીરની એવી વ્યવસ્થા હતી કે જે નિગ્રંથ જે ગણમાં દીક્ષિત બને, તે જીવનપર્યત તે જ ગણમાં રહે. વિશેષ પ્રયોજનવશ (અધ્યયન વગેરે માટે) તે ગુરુની આજ્ઞાથી બીજા સાધર્મિક ગણોમાં જઈ શકે છે. પરંતુ બીજા ગણમાં સંક્રમણ કર્યા પછી છ મહિના સુધી તે ફરી પરિવર્તન કરી શકતો નથી. છ મહિના પછી જો તે પરિવર્તન કરવા ઈચ્છે તો કરી શકે છે. જે મુનિ વિશેષ કારણ વિના છ મહિનાની અંદર જ પરિવર્તન કરે છે તેને “ગાણંગણિક' કહે છે. ૨૨. બીજાના ઘરમાં વ્યાપૃત થાય છે–તેમનું કાર્ય કરે છે (જોરિ વાવષે) ચૂર્ણિમાં પર-ગૃહ-વ્યાપારનો અર્થ નિમિત્ત આદિનો વ્યાપાર કરવામાં આવ્યો છે.* બ્રહવૃત્તિકારે આનો અર્થ “જે મુનિ આહારાર્થી થઈને ગૃહસ્થોને આતભાવ બતાવી તેમના કાર્યોમાં વ્યાપૃત થાય છે તેવો કર્યો છે." ૨૩. સામુદાયિક-ભિક્ષા (સામુદાર્થિ) - સામુદાયિક-ભિક્ષાની વ્યાખ્યાનો એક અંશ દશવૈકાલિક પા ૧૨૫માં તથા બીજો અંશ આ શ્લોકમાં મળે છે. તે અનુસાર ઊંચ-નીચ વગેરે બધા કુળોમાંથી ભિક્ષા લેવી તે સામુદાયિક ભિક્ષા છે. તે અનુસાર જ્ઞાત-અજ્ઞાત બધા કુળોમાંથી ભિક્ષા લેવી તે સામુદાયિક ભિક્ષા છે. શાન્તાચાર્યે ‘સામુદાયિક'ના બે અર્થ કર્યા છે– (૧) અનેક ઘરોમાંથી લવાયેલી ભિક્ષા. (૨) અજ્ઞાત ઉછ–અપરિચિત ઘરોમાંથી લવાયેલી ભિક્ષા.* ૨૪. પાંચ પ્રકારના કુશીલ સાધુઓ (પંચવુરીજો) જૈન આગમોમાં પાંચ પ્રકારના નિગ્રંથ બતાવવામાં આવ્યા છે–પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક, મૂળ તથા ઉત્તર ગુણોમાં દોષ લગાવનાર મુનિ કુશીલ-નિગ્રંથ કહેવાય છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે–પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. બંનેના પાંચ-પાંચ પ્રકાર છે–(૧) જ્ઞાન કુશીલ (૨) દર્શન કુશીલ (૩) ચારિત્ર કુશીલ (૪) લિંગ કુશીલ (૫) યથાસૂક્ષ્મ કુશીલ.“સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં નવ પ્રકારના કુશીલ બતાવવામાં આવ્યા છે–(૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશીલ (૪) સંસક્ત (૪) યથાણંદ (૬) કાયિક (૭) પ્રાગ્નિક (૮) સંપ્રસારક (૯) મામક. ૧. તાપ, ૭TI स्वतस्तत्कृत्यानि कुरुते। ૨. રક્ષામો રા રૂા. ૬, એજન, પત્ર ૪૬ : સાનિ-fકક્ષાર્તા સમૂહ: उ. बृहद्वृत्ति, पत्र ४३५-४३६ : स्वेच्छाप्रवृत्ततया सामुदानिकम्...बहुगृहसम्बन्धिनं भिक्षासमूहमज्ञातोञ्छ'गाणंगणिए' त्ति गणाद् गणं षण्मासाभ्यन्तर एव मितियावत्। संक्रामतीति गाणंगणिक इत्यागमिकी परिभाषा । ૭. au : ૫ ૬૮૪ ૪. સત્તરાધ્યયન મૂળ, પૃ. ૨૪૬-૨૪૭ : પોષ વ્યાપાર ૮. કા : ૧૮૭ : ૩ીજો પંધેિ પUારે, તે નહીંकरोति, निमित्तादीनां च व्यापारं करोति। णाणकुसीले, दंसणकुसीले, चरित्तकुसीले, लिंगकुसीले, ५. बृहवृत्ति, पत्र ४३६ : 'परगेहे' अन्यवेश्मनि 'वावरे' त्ति अहासुहुमकुसीले णामं पंचमे। व्याप्रियते-पिण्डार्थी सन् गृहिणामाप्तभावं दर्शयन् ૯. મૂત્રત્તાં યૂઝિ, પૃ. ૨૦૭T. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy