SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૩૧૦ અધ્યયન ૧૧ શ્લોક ૧૪-૧૫ટિ ૨૧-૨૨ સ્વછંદવિહારી બની એકલો ન વિચરે ૧ ગુરુકુળમાં રહેવાથી તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, દર્શન અને ચારિત્રમાં સ્થિરતા આવે છે. તેઓ ધન્ય છે કે જેઓ જીવનપર્યન્ત “ગુરુકુળ-વાસ છોડતા નથી. ૨૧. જે એકાગ્ર હોય છે (નોર્વ) યોગ શબ્દ બે ધાતુઓમાંથી નિષ્પન્ન થાય છે. એકનો અર્થ છે જોડવું અને બીજીનો અર્થ છે સમાધિ. ચૂર્ણિકારે ‘યોગ'ના ત્રણ અર્થ કર્યા છે – (૧) મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ (૨) સંયમ યોગ (૩) ભણવાનો ઉદ્યમ. શાજ્યાચાર્યે યોગના બે અર્થ કર્યા છે”-ધાર્મિક પ્રયત્ન તથા સમાધિ. ગીતામાં એક સ્થળે કર્મ-કૌશલને યોગ કહેલ છે, તો બીજા સ્થળે સમત્વને યોગ કહેલ છે. આ રીતે યોગની સતકર્મવિષયક અને સમાધિ-વિષયક એમ બંને પ્રકારની વ્યાખ્યાઓ મળે છે. ધાર્મિક-પ્રયત્ન અને સમાધિ બંને મોક્ષના હેતુ છે, એટલા માટે બંનેમાં સર્વથા ભેદ નથી. એટલા માટે હરિભદ્રસૂરિએ મોક્ષનો યોગ કરાવનાર સમૂળગા ધર્મ-વ્યાપારને યોગ કહ્યો છે. દશવૈકાલિક ૮૪૨માં કહેવામાં આવ્યું છે—મુનિએ યોગ કરવો જોઈએ ત્યાં યોગનો મુખ્ય અર્થ શ્રમણ-ધર્મની આરાધના અનગારધર્મામૃતમાં કાયક્લેશ તપના છ પ્રકારનો નિર્દેશ છે–અયન (સૂર્ય વગેરેની ગતિ), શયન, આસન, સ્થાન, અવગ્રહ અને યોગ, ગ્રીષ્મઋતુમાં પર્વતના શિખર પર સૂર્યસંમુખ ઊભા રહેવું તે આતાપના યોગ છે. વર્ષાઋતુમાં વૃક્ષ નીચે બેસવું તે વૃક્ષમૂળયોગ છે. શિયાળામાં ચાર રસ્તા પર અથવા નદીના કિનારે ધ્યાનમાં સ્થિત થવું તે શીતયોગ છે. આ રીતે યોગના અનેક ભેદો બને છે.’ ૨૨. બંને તરફ (પોતાના અને પોતાના આધારના ગુણો) થી સુશોભિત થાય છે (વો વિ વિજય) શંખ પણ સ્વચ્છ હોય છે અને દૂધ પણ સ્વચ્છ હોય છે. જયારે શંખના પાત્રમાં દૂધ રાખવામાં આવે છે ત્યારે દૂધ પાત્રની १. बृहवृत्ति, पत्र ३४७ : गुरूणाम्-आचार्यादीनां कुलम्-अन्वयो गच्छ इत्यर्थ: गुरुकुलं तत्र, तदाज्ञोपलक्षणं च कुलper..વિમુ મત ?...ગુર્વાસાવાવ તિછે ! उत्तराध्ययन चूर्णि, पृ. १९८ : आयरियसमीवे अच्छति....आह દિणाणस्स होइ भागी थिरयरगो दंसणे चरित्ते य। धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ।। ૩. એજન, પૃ. ૨૧૮: નો અનોપસિંગમનો લા, ૩mો पठितव्वते करे। ४. बृहवृत्ति, पत्र ३४७ : योजनं योगो-व्यापारः, स चेह प्रक्रमाद्धर्मगत एव तद्वान्, अतिशायने मतुप्, यद्वा योग:समाधिः सोऽस्यास्तीति योगवान् । ૫. તા, ૨૫૦ : યોગ: વર્ષ વૌરનYI ૬. એજન, રા ૪૮: સવિંચા વ્યા ७. योगविंशिका-१ : मोक्खेण जोयणाओ जोगो सव्वोवि धम्मवावारो। अनगारधर्मामृत ७।३२६८३ : ऊर्ध्वार्काद्ययनैः शवादिशयनैर्वीरासनाद्यासनैः, स्थानैरेकपदाग्रगामिभिः अनिष्ठीवाग्रमावग्रहैः । योगैश्चातपनादिभिः प्रशमिना संतापनं यत् तनोः, कायक्लेशमिदं तपोऽत्युपमितौ सद्ध्यानसिद्धयै भजेत् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy