SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ અધ્યયન ૧૧: બહુશ્રુતપૂજા ૧. આચાર (૩યાર) આચારનો અર્થ ‘ઉચિત ક્રિયા અથવા “વિનય' છે.ચૂર્ણિકાર અનુસાર પૂજા, વિનય અને આચાર એકર્થક શબ્દો છે. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં વિનય શબ્દ પણ આચારના અર્થમાં બહુલતાથી પ્રયોજાયો છે. પ્રસ્તુત અધ્યયનમાં બહુશ્રુતની પૂજા અને શિક્ષાની અહંતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.’ આચારના પાંચ પ્રકારો છે—જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, બહુશ્રુતતાનો સંબંધ જ્ઞાનાચાર અથવા શિક્ષા સાથે છે. ૨. (વ, થÒ, M) * પ્રસ્તુત પ્રકરણ બહુશ્રુતની પૂજાનું છે. બહુશ્રુતની પૂજા તેમનાં સ્વરૂપને જાણવાથી થાય છે. બહુશ્રુતનો પ્રતિપક્ષ અબહુશ્રુત છે, બહુશ્રુતને જાણતાં પહેલાં અબહુશ્રુતને જાણવાનું આવશ્યક છે. એટલા માટે આ શ્લોકમાં અબહુશ્રુતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે." વિ-વિદ્યાવાન હોવા છતાં પણ, ‘ffવા' (વિદ્યાહીન) શબ્દ મૂળ પાઠમાં પ્રયોજાયો છે. પરંતુ વિઘાવાનનો ઉલ્લેખ ‘પિ’ શબ્દના આધારે કરવામાં આવ્યો છે. જે સ્તબ્ધતા વગેરે દોષોથી યુક્ત છે તે વિદ્યાવાન હોવા છતાં પણ અબહુશ્રુત છે. તેનું કારણ એવું છે કે સ્તબ્ધતા વગેરે દોષોના કારણે બહુશ્રુતતાનું ફળ મળતું નથી. થદ્ધ-અભિમાની. જ્ઞાનથી અહંકારનો નાશ થાય છે પરંતુ જ્યારે જ્ઞાન પણ અહંકારની વૃદ્ધિનું સાધન બની જાય ત્યારે અહંકાર કેવી રીતે હટે ? જયારે ઔષધ પણ વિષનું કામ કરે તો ચિકિત્સા શાના વડે કરવી ? - ગણિત-અજિતેન્દ્રિય, ઈન્દ્રિયો પર નિયંત્રણ કરવા માટે વિદ્યા અંકુશ સમાન છે. તેના અભાવમાં વ્યક્તિ અનિગ્રહ બને છે. ૧૦ જે ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરી શકે તે અનિગ્રહ-અજિતેન્દ્રિય કહેવાય છે.' १. बृहद्वत्ति, पत्र ३४४ : आचरणमाचार:-उचितक्रिया विनय इति यावत् । २. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १८५ : पूय त्ति वा विणओ त्ति वा आयारो त्ति वा एगहूँ। ૩. જુઓ–૨નું ટિપ્પણ ४. बृहद्वृत्ति, पत्र ३४४ : स चेह बहुश्रुतपूजात्मक एव गृह्यते, तस्या एवात्राधिकृतत्वात् । ૫. સાપ ધા૨૪૭T. ६. बृहद्वृत्ति, पत्र ३४४ : इह च बहुश्रुतपूजा प्रक्रान्ता, सा च बहुश्रुतस्वरूपपरिज्ञान एव कर्तुं शक्या, बहुश्रुतस्वरूपं च तद्विपर्ययपरिज्ञाने तद्विविक्तं सुखेनैव ज्ञायत इत्यबहुश्रुतस्वरूपमाह। ૭. એજન, 7 રૂ૪૪ : પિશMવા વિઘsfપા ૮. એજન, પત્ર રૂ૪૪ : વિદાય થવઘુશ્રુતત્વે વાદુકૃત્ય फलाभावादिति भावनीयम्। ૯. ઉત્તરાધ્યયન , પૃ. ૨૨૯ : ज्ञानं मदनिर्मथनं, माद्यति यस्तेन दुश्चिकित्स्यः सः । अगदो यस्य विषायति, तस्य चिकित्सा कुतोऽन्येन ॥. ૧૦.૩રાધ્યયન યૂઝિ, પૃ. ૨૨ : સંવરજૂતા વિદ તા अभावादनिग्रहः । ૧૧. બૃત્તિ , પુત્ર રૂ૪૪ : ન વિદ્યતે નાહ: इन्द्रियनियमनात्मकोऽस्येति अनिग्रहः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy