SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૧૬૮ અધ્યયન-૫: શ્લોક ૧૭-૧૮ ટિ ૨૫-૨૭ ચારે પાસા સીધાં કે ઊંધા એકસરખા પડે છે, તેને “કૃત' કહેવામાં આવે છે. આ જીતનો દાવ છે. એક, બે અથવા ત્રણ પાસા ઊંધા પડે તો તેને ક્રમશઃ કલિ, દ્વાપર, ત્રેતા કહેવામાં આવે છે. તે બધા હારના દાવ છે. કુશળ જુગારી તેમને છોડી ‘કૃતિદાવ” જ નાખે છે.' કાશિકામાં લખવામાં આવ્યું છે કે પંચિકા નામનો જુગાર અક્ષ અથવા પાંચ શલાકાઓ વડે રમવામાં આવતો. જ્યારે પાંચે પાસા સીધા અથવા ઊંધા એકસરખા પડે છે ત્યારે પાસા ફેંકનાર જીતી જાય છે, તેને “કુતદાવ' કહે છે. “કલિદાવ' તેનાથી વિપરીત છે. જયારે કોઈ પાસો સીધો કે ઊંધો પડે છે ત્યારે તેને “કલિદાવ' કહેવાય છે. ભૂરિદત્ત જાતકમાં ‘કલિ’ અને ‘કૃત બંનેને એકબીજાથી વિપરીત માનવામાં આવ્યા છે.” છાંદોગ્ય ઉપનિષદમાં પણ ‘કૃત’ જીતનો દાવ છે. મહાભારત (સભાપર્વ પરા૧૩)માં શકુનિને ‘કૃતહસ્ત' કહેવામાં આવ્યો છે અર્થાત જે હંમેશાં જીતનો દાવ જ નાખે છે. પાણિનિના સમયમાં બંને પ્રકારના દાવ નાખવા માટે ભાષામાં જુદી-જુદી નામધાતુઓ વપરાતી હતી. તેનો સૂત્રકારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે–ત Jાતિ–વૃતથતિ, ત્નિ Jાતિ–લત્તથતિ (૩૧ ૨૧): વિધુર પંડિત જાતકમાં પણ ‘કૃતિ જીજ્ઞાતિ fa Jાતિ’ એવા પ્રયોગ મળે છે." જુગારના ખેલના નિયમો મુજબ જયારે કોઈ ખેલાડીનો ‘કુતદાવ' આવતો રહે ત્યારે તે જ પાસા નાખતો જતો. પણ જેવો કલિદાવ' આવે, પાસા નાખવાનો વારો બીજા ખેલાડીનો થઈ જતો. ૨૫. જુગારી (ધુ) ધૂર્ત શબ્દના અનેક અર્થ છે–વંચક, ઠગ, માયાવી, જુગારી વગેરે. સામાન્યપણે આ શબ્દ ‘ઠગ'ના અર્થમાં વધારે પ્રયોજાય છે, પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં તે જુગારીના અર્થમાં વપરાયેલો છે." ૨૬. (શ્લોક ૧૭) પ્રસ્તુત અધ્યયનના પ્રથમ સત્તર શ્લોકોમાં અજ્ઞાની વ્યક્તિઓની વિચારધારા, જીવનશૈલી, મણકાળની સ્થિતિ તથા પરલોકગમનની દિશાનું વર્ણન મળે છે. બાકીના આગળના શ્લોકોમાં સંયમી મુનિ અને વ્રતધારી શ્રાવકોની વિચારધારા, જીવનશૈલી, મારણાંતિક અવધારણા અને સુગનિગમનનું સુંદર વર્ણન છે. ૨૭. જિતેન્દ્રિય પુરુષોના (ઘુસીમાં) અહીં બહુવચનની જગ્યાએ એકવચન છે. બૃહવૃત્તિમાં તેનું સંસ્કૃત રૂપ છે–‘વરવતા'. આત્મા અને ઇન્દ્રિયો જેને વશ્વ-અધીન હોય છે, તેને ‘વવાન' કહેવામાં આવે છે. “વ'ના બે વધુ અર્થ કરવામાં આવ્યા છે–(૧) સાધુગુણોથી ૧. સૂયગડો, શરા ૪પ : कुजए अपराजिए जहा अक्खेहिं कुसलेहिं दीवयं । कडमेव गहाय णो कलिं णो तेयं णो चेव दापरं ।। ૨. નાતા, સંરહ પ૪રૂ. 3. छान्दोग्य उपनिषद्, ४।१।४ : यथा कृतायविजितायाधरेयाः संयन्त्येवमेनं सर्वं तदभिसमेति । ૪. પાણિનીનીન ભારતવર્ષ, પૃ. ૬૭T ૫. નાતવા, સંધ્યા ૧૪, ૬. (ક) વૃદવૃત્તિ, પત્ર ૨૪૮ : ધૂર્ત રૂ-ડૂતળાફવા. (4) अभिधान चिंतामणि ३।१४९ : कितवो द्यूतकृद्धूर्तो ऽक्षधूर्तः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy