SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અકામ-મરણીય ૧૬૭ અધ્યયન-૫: શ્લોક ૧૩-૧૪, ૧૬ ટિ ૨૦-૨૪ ૨૦. જ્યાં પ્રગાઢ વેદના છે (પઢિા નસ્થ વેT) પ્રગાઢના ત્રણ અર્થ છે-નિરંતર, તીવ્ર અને ઉત્કટ.' ચૂર્ણિમાં વેદનાના બે પ્રકારોનો નિર્દેશ છે–શીત વેદના અને ઉષ્ણ વેદના અથવા શારીરિક વેદના અને માનસિક વેદના.૨ ૨૧. ઔપપાતિક (વીરૂ) જીવોની ઉત્પત્તિના ત્રણ પ્રકારો છે–ગર્ભ, સમૂર્ણન અને ઉપપાત. પશુ, પક્ષી, મનુષ્ય વગેરે ગર્ભજ હોય છે. લીન્દ્રિય વગેરે જીવો સમૂછનજ અને નારક તથા દેવ ઔપપાતિક હોય છે. ઔપપાતિક જીવો અંતર્મુહૂર્ત માત્રમાં પૂર્ણ શરીરવાળા બની જાય છે. આથી નરકમાં ઉત્પન્ન થતાં જ તે જીવો નરકની વેદનાથી પીડાવા લાગે છે. ૨૨. કૃત કર્મો અનુસાર (ાદાગ્નેજિં) ચૂર્ણિકાર અને નેમિચન્દ્ર આનો અર્થ ‘કર્મો અનુસાર’ એવો આપે છે. શાન્યાચાર્યે આનો મૂળ અર્થ ‘પોતાના કરેલાં કર્મો વડે’ એવો કર્યો છે અને વિકલ્પ અર્થ કર્યો છે– કર્મો અનુસાર'. ૫ ૨૩. ધુરી (નવ) ‘અક્ષ’ શબ્દના અનેક અર્થ છે–પૈડું, ચક્ર, ચોસર, પૈડાંની ધરી, ગાડાની ધૂંસરી વગેરે. પ્રસ્તુત શ્લોકમાં ‘અક્ષ'નો અર્થ ધરી છે. ધરીનો અર્થ છે-લાકડી કે લોઢાનો એ દંડો જેના આધારે પૈડું ફર્યા કરે છે. વૃત્તિમાં જે નિરુક્ત છે તે પણ આ જ અર્થનું દ્યોતક છે–‘ગન્નત નવનીતિિમત્યક્ષો ધૂ:'—જે સ્નિગ્ધ પદાર્થ–ઘી, તેલ વગેરેથી તરબોળ રહે છે, તે ધૂ–ધરી કહેવાય છે.” ૨૪. એક જ દાવમાં (તિના) ચૂર્ણિકાર ‘કલિ’ વિષયમાં મૌન છે. શાન્તાચાર્ય અને નેમિચન્દ્ર બંનેએ ‘ત્તિના દ્વાન” એટલું કહીને છોડી દીધું છે.' પરંતુ અન્ય પ્રાચીન ગ્રંથો અનુસાર જુગારમાં બે પ્રકારના દાવ રહેતા-કૃતાવ અને કલિદાવ. ‘કૃત’ જીતનો દાવ છે અને ‘કલિ' હારનો. બંને એકબીજાથી વિરુદ્ધ છે. સૂત્રકૃતાંગ અનુસાર જુગાર ચાર અક્ષો (પાસા)થી રમવામાં આવતો. તેમનાં નામ છે-- ૧. કલિ–એકક ર. દ્વાપર–દ્ધિક ૩. ત્રેતા–ત્રિક ૪. કૃત–ચતુષ્ક ૧. (ક) ઉત્તરાધ્યયન ટૂનિ, પૃ. ૨૩ : STઢા TF fજતા: તન્ના: ૩RE I (ખ) વૃત્તિ, પત્ર ૨૪૭૫ २. उत्तराध्ययन चूर्णि, पृ. १३५ : वेद्यंत इति वेदना: शीता उष्णा च, अथवा शारीरमानसाः। ૩. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૩ : ૩૫પાતાëનાતકપાતિબં, न तत्र गर्भव्युक्रांतिरस्ति येन गर्भकालान्तरितं तन्नरकदुःखं स्यात्, ते हि उत्पन्नमात्रा एव नरकवेदनाभिरभिभूयन्ते । ૪. (ક) એજન, પૃ. ૨૩ : આધાર્દિયથીf: (ખ) સુ9ોથા, પત્ર ૧૦૫ : ५. बृहद्वृत्ति, पत्र २४७ : 'आहाकम्मेहि' ति आधानमाधा करणम्, आत्मनेति गम्यते, तदुपलक्षितानि कर्माण्याधाकर्माणि, तैः आधाकर्मभिः-स्वकृतकर्मभिः, यद्वाऽर्षत्वात् 'आहेति' आधाय कृत्वा, कर्माणीति गम्यते , ततस्तैरेव મ:, યજ્ઞ-યથfમ:' પણHTTIનુરૂપૈ: ' તીવ્રતીવ્રતરામાવન્વિતૈઃ | ૬, વૃત્તિ , પત્ર ૨૪૭૫ ૭. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૩૬ ૮. (ક) વૃત્તિ , પત્ર ૨૪૮ ! (ખ) મુવીધા, પત્ર ૨૦I For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy