SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અસંસ્કૃત ૧૩૯ અધ્યયન-૪: શ્લોક ૯ટિ ૨૧-૨૩ શા માટે ખવડાવવું? એમ વિચારી તે તે અશ્વને ભૂંસુ વગેરે ખવડાવે છે અને પોતાના રોંટ પર જોતરીને તેની પાસે કામ કરાવે છે. તે તેને પ્રશિક્ષિત કરતો નથી. એક વાર કોઈ શત્રુ રાજાએ આક્રમણ કર્યું. રાજાએ પેલા બંને કુલપુત્રોને પોતપોતાના અશ્વો સાથે સંગ્રામમાં જવાનો આદેશ આપ્યો. જે અશ્વ પૂર્વ-પ્રશિક્ષિત હતો, તે પોતાના સવારનું અનુશાસન માનીને સંગ્રામ પાર કરી ગયો, જે અપ્રશિક્ષિત અશ્વ હતો તે શત્રુઓના હાથમાં ઝડપાઈ ગયો અને કુલપુત્ર પણ પકડાઈ ગયો." ૨૧. પૂર્વ જીવનમાં (પુળા વાસા) પૂર્વ-પરિમાણ આયુષ્યવાળાઓ માટે “પૂર્વ અને વર્ષ-પરિમાણ આયુષ્યવાળાઓ માટે ‘વર્ષનો ઉલ્લેખ થયો છે–એવો ચૂર્ણિકાર અને વૃત્તિકારનો અભિપ્રાય છે. પરંતુ વિષયની દષ્ટિએ ‘પુત્રાપું વાસાનો અર્થ ‘પૂર્વજીવનના વર્ષો સંગત લાગે ૨૨. પૂર્વ જીવનમાં (પુવમેવું) : ‘પુત્ર (પૂર્વ)નો અર્થ છે–પહેલાનું જીવન. ચૂર્ણિકારે આઠમા શ્લોકના પ્રસંગમાં એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. શિષ્ય ગુરુને પૂછે છે-ભંતે ! કેટલીક ક્ષણો અથવા દિવસો સુધી અપ્રમત્ત રહી શકાય છે. જે પૂર્વકાળ (દીર્ઘકાળ) સુધી અપ્રમત્ત રહેવાની વાત કહેવાય છે, તે કષ્ટકર છે, કઠણ છે. એટલા માટે જીવનના અંતિમ ચરણમાં અપ્રમત્ત રહેવું જ શ્રેયસ્કર છે. ગુરુએ કહ્યું–જે પહેલાં જીવનમાં અપ્રમાદી નથી હોતો, તે અંતમાં અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. કેમકે 'पुव्वमकारितजोगो पुरिसो, मरणे उवट्ठिते संते । ण चइति व सहित जे अंगेहिं परीसहणिवादे ॥' -જે મનુષ્ય પૂર્વજીવનમાં સમાધિ પ્રાપ્ત કરતો નથી, તે મરણકાળે પોતાના પ્રમાદને છોડી શકતો નથી અને પોતાના શિથિલ શરીર વડે ન તો પરીષહોને સહન કરવા માટે પણ સક્ષમ બની શકે છે.’ ૨૩. શાશ્વતવાદીઓ માટે જ (સાસથવારૂi) પ્રસ્તુત ચરણમાં શાશ્વતવાદીનો પ્રયોગ આયુષ્યના સંદર્ભમાં થયો છે. આયુષ્ય બે પ્રકારનું છે–સોપક્રમ અને નિરુપક્રમ. જેમાં અકાલ-મૃત્યુ થાય છે, તે સોપક્રમ આયુષ્ય છે અને જેમાં કાલ-મૃત્યુ થાય છે તે નિરુપક્રમ આયુષ્ય છે. શાશ્વતવાદીઓ આયુષ્યને નિરુપક્રમ માને છે. તેમના મત અનુસાર અકાળ મૃત્યુ હોતું નથી. તે જ લોકો એવું માની શકે છે-“સ પુલ્વમેવ ન નમેન પુષ્ક'– ‘જીવનના પ્રારંભમાં જ શા માટે, ધર્માચરણ તો જીવનના અંતકાળમાં પણ કરી શકાય છે.” જે જીવનને પાણીના પરપોટા જેવું અસ્થિર માને છે, તેઓ એવું ક્યારેય વિચારી શકતા નથી." १. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १२; बृहद्वृत्ति पत्र २२३; सुखबोधा वासाणि चरप्पमत्तो', एवतियं कालं दुःखं अप्पमादो पत्र ९६। कज्जति, तेण पच्छिमे काले अप्पमादं करेस्सामि । ૨. (ક) ઉત્તરાધ્યયન યૂઝિ, પૃષ્ઠ ૨૨: પૂરવંતતિ પૂર્વ, વર્ષતીતિ ૪. ઉત્તરાધ્યયન વૂળ, પૃષ્ઠ ૨૦૨, ૨૨૩ . વર્ષ, તાનિ પુત્રા વાલા, માવના ? પુવાડી ૫. એજન, પૃ. ૨૨૩ : સાથવવિયા 37, રે નિશ્વजया मणुया तदा पुव्वाणि, जदा वरिसायुसो तया कमायुणो, ण तु जेसि फेणबुब्बय-भंगुराणि जीविताणि, વરસાળ. अथवा सासयवादो णिण्ण अप्पमत्तो कालो मरतो जेसि (ખ) વૃદત્ત પત્ર ૨૨૪ : પૂર્વા િવષતિ પતાવી- एसा दिट्ठी, जो पुत्वमेव अकयजोगो सो। युषामेव चारित्रपरिणतिरति। 3. उत्तराध्ययन चूणि, पृष्ठ १२२ : अत्राह चोदकः-सक्कते मुहत्तं दिवसं वा अप्पमादो काउं, जं पुण भण्णति-'पुव्वाणि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy