SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ ૧૧૬ ૧૯. (નિબા.....ધમિત્તન પાવણ) નિવ્વામાં—ચૂર્ણિમાં આનો અર્થ મુક્તિ એવો આપ્યો છે. શાન્ત્યાચાર્યે આના બે અર્થ કર્યા છે—(૧) સ્વાસ્થ્ય અને (૨) જીવન-મુક્તિ. સ્વાસ્થ્યનો અર્થ છે—પોતાની પોતાનામાં અવસ્થિતિ, આત્મ-રમણા. જે વ્યક્તિનું જીવન ધર્માનુગત હોય છે તેનામાં આત્મ-રમણની સ્થિતિ સહજ સ્વાભાવિક પેદા થઈ જાય છે. આ જ ખરા અર્થમાં સ્વાસ્થ્ય છે. આત્મ-રમણની અવસ્થા સહજાનંદની અવસ્થા છે. તેમાં સુખ નિરંતર વધતું રહે છે. જૈન આગમ અનુસાર એક માસના પર્યાયવાળો શ્રમણ વ્યંતર દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરી જાય છે. સ્વસ્થ શ્રમણ ચક્રવર્તીનાં સુખોને પણ વટાવી જાય છે. આ પરમ-સુખની અનુભૂતિ આત્મ-સાપેક્ષ હોય છે. આ જ સ્વાસ્થ્ય અથવા નિર્વાણ છે. જીવન્મુક્તિનો અર્થ છે—આ જ જીવનમાં મુક્તિ. શાન્ત્યાચાર્યે અહીં ‘પ્રશમરતિ'નો એક શ્લોક ઉષ્કૃત કર્યો છે— निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैवमोक्षः सुविहितानाम् ॥ २३८ ॥ નેમિચન્દ્રે આ શબ્દનો અર્થ જીવન્મુક્તિ કર્યો છે અને મુનિ-સુખની અર્ધ્વતાને લક્ષમાં રાખી એક બીજો શ્લોક પણ ઉદ્ધૃત કર્યો છે — तणसंथारनिवन्नो वि, मुणिवरो भट्टारायमयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥ નાગાર્જુનીય પરંપરામાં આ શ્લોક ભિન્ન રૂપે મળે છે, એવો ચૂર્ણિકારેપ અને શાન્ત્યાચાર્યે ઉલ્લેખ કર્યો છે चउद्धा संपयं लद्धुं इहेव ताव भायते । तेयते तेजसंपन्ने, घयसित्तेव पावए । અધ્યયન ૩ : શ્લોક ૧૨-૧૩ટિ ૧૯-૨૦ ધમિત્તવ્ય પાવ—પરાળ, છાણાં વગેરે વડે અગ્નિ તેટલો પ્રજવલિત નથી થતો જેટલો તે ઘીના સિંચનથી થાય છે, એટલા માટે અહીં ધૃત-સિંચનની ઉપમાને પ્રધાનતા આપી છે. અહીં નિર્વાણની તુલના ધૃત-સિક્ત અગ્નિ સાથે કરવામાં આવી છે. ધૃતથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, બુઝાતો નથી, એટલા માટે નિર્વાણનો અર્થ ‘મુક્તિ’ની અપેક્ષાએ ‘દીપ્તિ’ વધુ યોગ્ય છે. મુક્તિ, સ્વાસ્થ્ય કે જીવન્મુક્તિ—આ બધી ચેતનાની પ્રજવલિત—તેજોમય અવસ્થાના નામો છે. આ દૃષ્ટિ સામે રાખી નિર્વાણનો આમાંથી કોઈપણ અર્થ કરી શકાય છે. પરંતુ તેનો અર્થ ‘બૂઝવું’ ઉપમા સાથે સામંજસ્ય રાખતો નથી. ૧. ઉત્તરાધ્યયન વૃદ્ધિ, પૃ. ૧૧ : નિવૃત્તિ:-નિર્વામ્ । ૨. વૃત્તવૃત્તિ, પત્ર ૮, ૮૬ : ‘નિર્વાí' નિવૃત્તિનિર્વાi स्वास्थ्यमित्यर्थः 'परमं' 'एगमासपरियाए समणे वंतरियाणं यल्लेसं वीईवयति' इत्याद्यागमेनोक्तं 'नैवास्ति राजराजस्य तत्सुख' मित्यादिना च वाचकवचनेनानूदितम् । ૩. વૃવૃત્તિ, પત્ર ૨૮૬ : યજ્ઞા નિર્વામિતિ નીવન્મુક્તિમ્ । ૨૦. કર્મના હેતુને (મ્મો ફ્રેડ) કર્મબંધના બે મુખ્ય હેતુઓ છે–રાગ અને દ્વેષ. અથવા કર્મબંધનું કારણ છે—આશ્રવ. તે પાંચ પ્રકારનો છે–મિથ્યાત્વ આશ્રવ, અવ્રત આશ્રવ, પ્રમાદ આશ્રવ, કષાય આશ્રવ અને યોગ આશ્રવ. Jain Education International ૪. મુછવોધા, પત્ર ૭૬ । ૫. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૧૧ । ૬. વૃત્તવૃત્તિ, પત્ર ૮૬ । ૭.૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૧૧ : તૃળતુષપાત્તારીપાदिभिरीं धनविशेषैरिंध्यमानो न तथा दीप्यते यथा घृतेनेत्यतोऽनुमानात् ज्ञायते तथा घृतेनाभिषिक्तोऽधिकं भाति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy