SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ-પ્રવિભક્તિ ૭૮ અધ્યયન ર : શ્લોક ૨૯ ટિ પ૪-૫૫ છે. વિનોબાભાવેએ કાંચન-મુક્તિનો પ્રયોગ કર્યો. તેમણે કહ્યું-જ્યાં કિંચનતા છે ત્યાં માંગવાની. ભિક્ષા માગવાની મનાઈ હોવી જોઈએ. અકિંચન ત્યાગી સંન્યાસી માટે યાચના વિહિત છે, સંમત છે. યાચના કઠિન કાર્ય છે. નીતિકારે દાતા અને યાચકની સ્થિતિનું સુંદર વર્ણન આ શ્લોકમાં પ્રસ્તુત કર્યું છે– 'एके न तिष्ठताऽधस्ताव्, अन्ये नोपरि तिष्ठता । दातृ याचकयो : दः कराभ्यामेव सूचितः ॥ દેનારનો હાથ ઉપર રહે છે અને લેનારનો હાથ નીચે. આ જ દાતા અને યાચકની સ્થિતિ સૂચવે છે. એક રાજા પોતાના ગુરુની પાસે ગયો અને બોલ્યો–‘ગુરુદેવ! અહંકાર મારી સાધનામાં બાધક બની રહ્યો છે. મને તેનાથી છૂટવાનો ઉપાય બતાવો.' ગુરુ બોલ્યા–ઘણું મુશ્કેલ છે અહંથી મુક્ત થવું. અને તે પણ એક રાજાને માટે, કે જે સમગ્ર દેશ ઉપરા શાસન કરે છે. જો તું ખરેખર જ અહંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હો તો પોતાના રાજ્યનાં આ મોટા નગરમાં તુ સાત દિવસ સુધી ભિક્ષા માગવા નીકળ અને ઘર-ઘરથી ભિક્ષા માગી જીવન-નિર્વાહ કર. રાજા બોલ્યો–ભગવંત ! માગવું અત્યન્ત મુશ્કેલ કામ છે અને તે પણ પોતાનાં જ રાજયમાં કે જ્યાં હું આટલો સમ્માનિત અને પૂજનીય છું. આપ કોઈ બીજો ઉપાય બતાવો.” ગુરુ બોલ્યા-તારે માટે આ જ ઉપાય કારગત થઈ શકે છે. જો અહંકારથી મુક્ત થવા ઈચ્છતા હો તો આટલું કરવું જ પડશે. રાજાએ ગુરુની વાત માની, એકલો જ નગરમાં માગવા નીકળ્યો. હાથમાં ભિક્ષાપાત્ર હતું. લોકોએ જોયું. બધા આશ્ચર્યસ્તબ્ધ થઈ ગયા. કોઈએ આક્રોશ વ્યક્ત કર્યો, કોઈએ ઘરમાંથી કાઢી મૂક્યો. પણ રાજા સમભાવથી બધું સહન કરતો-કરતો ઘરે-ઘરે ગયો. આ રીતે સાત દિવસ વીતી ગયા. તે ગુરુ પાસે આવીને બોલ્યો–પૂજય ગુરુદેવ ! ઉપાય કારગત થયો. મારે જે મેળવવું હતું તે મેં મેળવી લીધું. અહં વિલીન થઈ ગયો. ૫૪. ગોચરાગ્રમાં (જોય....) ‘ગોચર’નો અર્થ છે–ગાયની માફક ચરવું. ગાય પોતાના પરિચિત કે અપરિચિતનો ભેદભાવ કર્યા વિના જ ભોજન ગ્રહણ કરી લે છે, તેવી જ રીતે ભિક્ષુ પણ પરિચિત કે અપરિચિત વ્યક્તિઓ અથવા ઘરો પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. પરંતુ ગાય “વથાર્થવ' જે કંઈ પણ લઈ લે છે, તેવી રીતે ભિક્ષુ લઈ શકતો નથી. તે સદા એષણાયુક્ત ભોજન જ લે છે. આ જ ‘ગ' (સં. મયં) શબ્દનો વિશેષ અર્થ છે.' ચૂર્ણિકારે “T’ શબ્દના બે અર્થ કર્યા છે–પ્રધાન અને એષણાયુક્ત. તેમણે અહીં વાછરડાના ઉદાહરણનો સંકેત કર્યો છે પર્વના દિવસ હતો. ઘરની સ્વામિની બહાર ગઈ હતી. પુત્રવધૂ સાજ-સજ્જામાં પડી ગઈ હતી. તે વાછડાને ચારો-પાણી દેવાનું ભૂલી ગઈ. પછી અચાનક જ તેને વાછરડાની યાદ આવી. તે તે જ રૂપમાં ચારો દેવા ગઈ. વાછરડાએ તેની તરફ આંખ ઊંચી કરીને પણ જોયું નહિ. તે ચારો ખાવામાં મગ્ન બની ગયો. તે જ રીતે ભિક્ષુ પણ એષણાયુક્ત ભોજનની ગવેષણામાં લીન રહે. ૫૫. હાથ ફેલાવવો સહેલું નથી (Hot નો સુપ્રભાર) : યાચના માટે બીજાની પાસે હાથ ફેલાવવો–‘મને આપો'—એમ કહેવું સહેલું નથી. જેમકે धणवइसमोऽवि दो अक्खराई लज्ज भयं च मोत्तूणं । देहित्ति जाव ण भणति पडइ मुहे नो परिभवस्स ॥ કુબેરની જેવી ધનવાન વ્યક્તિ પણ જયાં સુધી લાજ અને ભય છોડીને દિ’ (આપ) એમ નથી કહેતો ત્યાં સુધી કોઈ તેનો તિરસ્કાર નથી કરતું –અર્થાત્ ધનવાન વ્યક્તિ મને આપો' એવું કહીને બીજાની પાસે હાથ ફેલાવે છે ત્યારે તે પણ તિરસ્કારને ૧. વૃક્રવૃત્તિ, પત્ર ૨૨૨ ૪ ૩. એજન, પૃષ્ઠ ૭૪ / ૨. ઉત્તરાધ્યયન વૂળ, છ ૭૪ : ૩ પટ્ટી, નતો પક્ષT ૪. એજન, કg ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy