________________
નગરના લેખે ૪૧૭–૨૧ ]
( ૨૯૩ )
- અવલોકન
•~~~~
~~
પહેલે લેખ શાંતિનાથના મંદિરને છે. તેની સાલ સંવત ૧૬૧૪ ની છે. આમાં પ્રારંભમાં સાલ આપ્યાં પછી “વરમપુર” એવું ગામનું નામ આપ્યું છે જે કદાચિત “નગર” નું જૂનું નામ હશે. આ પછીના બે લેખમાં પણ આ નામ લખેલું છે. પછી શાંતિનાથના ચૈત્યનું નામ લખી તિથિ આપી છે જે માર્ગશીર્ષ માસની પ્રથમ દ્વિતીયા છે (પક્ષને ઉલ્લેખતે કર્યોજ નથી. ) ત્યાર બાદ ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રનું નામ આપ્યું છે જે લેખના વખતે વિદ્યમાન હતા. પછી ૪ કાવ્યો આપ્યાં છે અને તેમાં ફકત શાંતિનાથ તીર્થકરની સ્તવના કરવામાં આવી છે. પછી ધનરાજ ઉપાધ્યાયના કહેવાથી પંડિત મુનિમેરૂએ શિલા ઉપર આ લેખ લખ્યું અને જોધા, દંતા, ગદા અને નરસિંગ નામના સૂત્રધારેએ કેત, એમ જણાવી, રાઉલ મેઘરાજના રાજ્ય સમયે શાંતિનાથના મંદિરને આ “નાલિ મંડ૫” બનાવવામાં આવ્યું એમ જણાવ્યું છે.
બીજે (નં. ૪૧૮ ને) લેખ રાષભદેવના મંદિરમાને છે. લેખમાં આ મંદિરને વિમલનાથનું મંદિર જણાવ્યું છે. હકીકતમાં એમ છે કે-સં. ૧૫૬૮ ના વૈશાખ શુદિ ૭ના દિવસે જ્યારે રાઉલ કુંભકર્ણ રાજ્ય કરતા હતા ત્યારે, તપાગચ્છના આચાર્ય હેમવિમલસૂરિના શિષ્ય પં. ચારિત્રસાધુગણિના ઉપદેશથી વિરમપુરના જૈનસમુદાયે વિમલનાથના મંદિરમાં રંગમંડપ કરાવ્યું. સૂત્રધાર હેલાએ તે તૈયાર કર્યો,
ત્રીજે (નં. ૪૧૮) લેખ પાર્શ્વનાથના મંદિર છે. ભાવાર્થ આ પ્રમાણે–
સં. ૧૬૮૧ ના (આ સંવત્ આષાઢાદિ છે, એટલે તેની શરૂઆત આષાઢમાસથી થાય છે ) ચૈત્ર વદિ ૩ સોમવારના દિવસે રાઉલ જગમાલના રાજ્ય સમયે વીરમપુરના પલ્લીવાલ ગચ્છના ભટ્ટારક યશદેવની વિદ્યમાનતામાં, પાર્શ્વનાથના મંદિરમાં પલ્લીગચ્છના શ્રાવકોએ ત્રણ ગેખલાઓ સાથે “નિર્ગમચતુષ્કિકા ” એટલે મંદિર
9O3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org