________________
પ્રાચીનજનલેખસંગ્રહ
(૨૮૬ )
[ બેલારના લેખો નં. ૪૦૩-૦૭
પ્રમાણે પિતાના કલ્યાણાર્થે હમેશાં વર્તવું એમ જણાવી સમાપ્તિ કરવામાં આવી છે.
આ લેખમાં જણાવેલા રાજા ચાચિગદેવને એક મહટે લેખ જોધપુર રાજ્યના જસવંતપુરા ગામથી ૧૦ માઈલ દૂર ઉત્તરમાં આવેલી સુન્ધા નામે એક ટેકરી ઉપરના ચામુંડાદેવીના મંદિરમાંથી મળી આવે છે. એ પ્રસસ્તિલેખની . રચના વાદી શ્રી દેવસૂરિના પ્રશિષ્ય અને રામચંદ્રસૂરિના શિષ્ય જયમંગલાચા કરી હતી. ૧૯૦૭ ને સનમાં છે. કહેને “એપિરાફિ ઈન્ડિકા ” માં એ લેખ પ્રકટ કર્યો છે.
(૪૦૩-૦૭) મારવાડ રાજ્યના દેરી પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ શહર ઘાણે રાવની પાસે એક બેલાર કરીને ગામ છે ત્યાંના આદિનાથના મંદિરમાંથી આ નંબરે વાળા પાંચ - લેખે મળી આવ્યા છે. બધા લેખે એકજ મિતિના છે અને કેઈએ મંદિરને રંગમંડપ બનાવ્યું, કેઈએ સ્તંભ બનાવ્યા અને કેઈએ લગિકા () બનાવી ઈત્યાદિ બાબત જણાવવાને આ લેખેને ઉદેશ્ય છે. - પહેલે લેખ ૬ પંકિતમાં લખાએલે છે અને પ્રારંભની બે પંક્તિઓ આખી અને ત્રીજીના શરૂઆતમાં પાંચ અક્ષરે જેટલે ભાગ ગદ્યમાં લખેલે છે. બાકી પદ્યરૂપે છે. અંતિમ આશીર્વાદાત્મક વાકય પણ ગદ્યમાં છે. હકીકત આ પ્રમાણે છે.
: કલકત્તાવાળા બાબુ પૂરણચંદ્રજી નાહાર M. A. B. L. એ પ્રકટ કરેલા “ ના સેવા સંઘરું” માં પણ આ લેખો આવેલા છે અને તેમની સંખ્યા ૯ છે. શ્રીયુત ભાંડારકર તરફથી જે નેંધ મને મળી છે તેમાં ફકત આ પાંચજ લેખે હેવાથી અત્ર તેટલાજ આપવામાં આવ્યા છે. વાચંકેએ ધ્યાનમાં રાખવું કે ઉક્ત બાબુજીનો સંગ્રહ હારી દૃષ્ટિગોચર થયો તેની પૂર્વેજ પ્રસ્તુત સંગ્રહને મૂળ ભાગ છપાઈ ચુક્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org