________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૮૪) [ ખંડાળાને લેખ ન. ૪૦૦-૦૧
VaRA
(૩૯) આ લેખ ગેડીપાર્શ્વનાથના મંદિરની મૂલનાયકની પ્રતિમા ઉપર કેરેલે છે. મિતિ ઉપર પ્રમાણે જ છે. પ્રતિષ્ઠા કરનાર વિજયદેવસૂરિ છે. મેડતાનગર નિવાસી ઓસવાલ જ્ઞાતિના કુહાડા ત્રવાળા સા. હર્ષ ભાય જયવંતદેના પુત્ર જસવતે તે મૂતિ બનાવરાવી હતી. લેખમાં વચ્ચે, વિજયદેવસૂરિના ઉપદેશથી ગડવાલ દેશમાં આવેલા વિધરલા નામના ગામના સંઘે એક પ્રતિમા કરાવી હતી (?) તેને પણ ઉલ્લેખ કરે છે. આ કથનને ભાવાર્થ સ્પષ્ટ રીતે કળી શકો નથી, કદાચિત્ તે મૂર્તિની પણ આ વખતે પ્રતિષ્ઠા કરાવવામાં આવી હશે.
(૪૦૦-૦૧) આ બે લેખે, જોધપુર સ્ટેટમાંના ગડવાડ પ્રાંતમાં આવેલા ખુડાળા નામના ગામના જૈન મંદિરમાંની મૂતિઓ ઉપર કોતરેલા મળી આવ્યા છે. ' પ્રથમ લેખની મિતિ સં. ૧૫૪૩ ના જયેષ્ઠ સુદિ ૧૧ શનિવારની છે. વિશલનગર નિવાસી પિરવાડ જાતિને વેગ આદિ કેટલાંક કુટુંબીઓએ વ્યવહારી કમલાના શ્રેયાર્થે પાર્શ્વનાથની પ્રતિમા બનાવરાવી જેની પ્રતિષ્ઠા જ્ઞાનસાગરસૂરિના શિષ્ય દિયસાગરસૂરિએ કરી.
બીજા લેખની મિતિ સંવત ૧૫૨૩ ના વૈશાખ સુદિ ૧૧ બુધવારની છે. અચલગચ્છના આચાર્ય જયકેસરીના ઉપદેશથી પિરવાડ જાતિના વચ્છરાજ શ્રાવકે વિમલનાથની પ્રતિમા ભરાવી અને શ્રી સંઘે તેની પ્રતિષ્ઠા કરી.
શ્રીયુત ભાંડારકરની ધમાં એ ગામમાંને જૂને પરંતુ ખડિત એક બીજે પણ લેખ આપે છે. જે ધર્મનાથની પ્રતિમા ઉપર કે તરે છે. લેખ આ પ્રમાણે છે.
६८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org