________________
પાલી શહેરના લેખ ૩૮૩-૮૫]. ( ૨૧ )
" અવકન,
(૩૮૩) આ નંબરને લેખ એક આદિનાથની મૂર્તિના નીચે પદ્માસન ઉપર લખેલે છે. સાર આ પ્રમાણે--
સં. ૧૧૮ ના ફાલ્ગણ સુદિ ૧૧ ને શનિવારના દિવસે, પલ્લિકા (એટલે પાલી) માં આવેલા શ્રીવીરનાથના મહાન મંદિરમાં, ઉદ્યતનાચાર્ય શિષ્ય મહેશ્વરાચાર્યના શિષ્ય દેવાચાર્યના ગચ્છવાળા સાહાર ગૃહસ્થના બે પુત્રો નામે પારસ અને ધણદેવ, તેમાં ધણદેવને પુત્ર દેવચંદ્ર અને પારસને પુત્ર હરિચંદ્ર આ બંને મળીને, દેવચંદ્રની ભાર્યા વસુંધરિના પુણ્યાર્થે ષભદેવ તીર્થકરની પ્રતિમા કરાવી.
(૩૮૪૯૨) ૩૮૪નબરથી તે ૩૯૨ સુધીના લેખે ઉપર પ્રમાણે જ જુદી જુદી મૂર્તિઓ ઉપર કોતરેલા છે અને તેમાં જણાવેલી બાબત પણ સુસ્પષ્ટ છે.
(૩૯૩-૯૫) આ ત્રણ લેખો એજ મંદિરના મુખ્ય ગર્ભાગારમાં આવેલી વેદિક ઉપર જે ત્રણ પ્રતિમાઓ સ્થાપિત છે તેમના ઉપર કતરેલા છે. તેમાં પ્રથમ લેખ ડાબી બાજુ ઉપર આવેલી સુપાર્શ્વનાથની મૂર્તિ ઉપર, બીજે (નં. ૩૯૪) જમણી બાજુ ઉપરની મહાવીરની મૂર્તિ ઉપર અને છેલ્લે મધ્યસ્થિત પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કોતરેલે છે. - ત્રણે લેખે એકજ મિતિના છે અને તે સં. ૧૬૮૬ ના વૈશાખ સદી ૮ મીની છે. પેહલા અને છેલ્લા લેખમાં જણાવેલી હકીકત આ પ્રમાણે છે. . મહારાજાધિરાજ ગજસિંહજી જ્યારે રાજ્ય કરતા હતા અને મહારાજ કુમાર અમરસિંહ જ્યારે યુવરાજપદ જોગવતા હતા તથા તેમના કૃપાપાત્ર ચાહમાનવંશીય જગન્નાથ જ્યારે પાલી નગરને
૬૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org