________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૮૦) [ પાલી શહેરના લેખ. નં. ૩૮૧-૮૨
-
-
-
-
-
-
-
-
-
-
-~-~
પાલી શહેરના લેખે.
" (૩૮૧ ) - મારવાડના જોધપુરરાજ્યમાં પાલી નામનું એક પ્રસિદ્ધ અને પ્રાચીન શહેર છે. ત્યાં “નવલખા મંદિર” નામે એક ભવ્ય બાવન જિનાલયવાળું ઘણું જૂનું દેવાલય છે. એ મંદિરમાં બે પ્રતિમાઓની નીચેના ભાગ ઉપર બે સરખા લેખ કતરેલા છે જેમાંથી એકની નકલ આ ૩૮૧ નંબર નીચે આપેલી છે. લેખને ભાવાર્થ આ
સં. ૧૦૧ ના ચેષ્ટ વદિ દ રવિવારના દિવસે, પતિલકા એટલે પાલીમાં શ્રી મહાવીરના મંદિરમાં મહામાત્ય આનંદના પુત્ર મહામાત્ય પૃથ્વીપાલે પિતાના આત્મકલ્યાણાર્થે બે તીર્થકરોની મૂતિઓ કરાવી. તેમાંની આ) અનંતનાથની પ્રતિમા છે.
" - બીજી પ્રતિમા ઉપર પણ આજ પ્રકારનો લેખ છે પરંતું તેમાં અતે “અનંત ” શબ્દને બદલે “વિમ” શબ્દ છે એટલે તે વિમલનાથની પ્રતિમા છે. ' આ પૃથ્વીપાલના નામના લેખે આબુ ઉપર “વિમલવસહી” માં પણ છે વિશેષ જુઓ ઉપર પૃ. ૧૫૪.
.
. .
(૩૮૨)
આ લેખ ઉકત મંદિરમાં જ આવેલી એક પ્રતિમાના સિંહાસન ઉપર કરેલ છે. ભાવાર્થ આ પ્રમાણે– - સં. ૧૧૮૮ ના માઘ માસની સુદિ ૧૧ ના દિવસે વિરફુલ (વીરદેવકુલ?) દેવકુલિકામાં દુર્લભ અને અજિત નામના ગૃહસ્થાએ શાંતિનાથની મૂર્તિ બનાવી અને બ્રાહ્મીગચ્છીય દેવાચા તેની પ્રતિષ્ઠા કરી.
૬૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org