________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૫૪) [ જાલેર કિલ્લાના લેખે ન. ૩૫૪-પ
--**--***
લખવામાં આવ્યું છે. તેના પિતા અને પિતામહ ઠાકુર તરીકે લખાયા છે તેથી તેઓ રજપુત જ હશે.
. (૩૫૪ થી ૩૫૯) આ નંબરે નીચે આપેલા લેખે જાલેરના કિલ્લામાં વર્તમાનમાં જે જૈનમંદિરે વિદ્યમાન છે તેમની અંદર રહેલી પ્રતિમાઓ ઉપર કેતરેલા છે. બધા લેખે સં. ૧૬૮૧ થી ૮૪ સુધીના છે, અને તપાગચ્છના આચાર્ય વિજ્યદેવસૂરિના આદેશ-ઉપદેશથી એ મંદિરની પ્રતિષ્ઠા વિગેરે થઈ હેય એમ એ લેખે ઉપરથી જણાય છે. આ મંદિર અને લેખ સંબંધી ડુંક વર્ણન શ્રી ડી. આર. ભાંડારકર નીચે પ્રમાણે આપે છે. જ
જાલેરને કિલ્લે લગભગ ૮૦૦ યાર્ડ લાંબો અને ૪૦૦ યાર્ડ પહેળે છે. આગળ પાછળના મેદાનથી ૧૨૦૦ ફીટ લાંબી એવી એક ટેકરી ઉપર તે આવેલું છે. ત્યાંથી આખું શહેર દેખાય છે અને ટેકરીના ઉત્તર તરફના ઢળાવ ઉપર આ ગામ વસેલું છે. આ ગઢને ૪ દ્વારે છે--સૂરજપળ, ધુળ, ચાંદપિળ અને લેહપોળ. ગઢ ઉપર જાણવા જેવા લાયક ફકત બે જૈનમંદિર અને એક કબર છે. એક જૈન દેવાલય મુખ છે અને તેને બે માળ છે. પ્રથમ માળમાં આદિનાથ, સુપાર્શ્વનાથ, અજિતનાથ અને શ્રેયાંસદેવ એમ ચારે બાજુ ચાર જિનની પ્રતિમાઓ પ્રસ્થાપિત છે. આ પ્રતિમાઓ ઉપર લેખે કતરેલા છે અને તેમાં પણ ઉપર પ્રમાણે નામ આપેલાં છે. બીજી માળ ઉપરની ફકત ત્રણ પ્રતિમાઓ ઉપર લેખે છે જેમનાથી જણાય છે કે તે મૂતિઓ સુવિધિનાથ, અરનાથ અને સંભવનાથની છે. આ સર્વ પ્રતિમાઓ વિ. સં. ૧૯૮૩ માં જયમલ્લ તથા તેની સ્ત્રિય સરૂપદે અને સહાગદે બેસાડેલી છે.
પશ્ચિમના દ્વાર આગળ ખૂણામાં એક મનુષ્ય પ્રમાણ મૂતિ સ્થા પિત છે જે કુંથુનાથતીર્થકરની છે. તેના ઉપરના લેખની મિતિ “સં.
આર્કિઓ લૈછિકલ વેસ્ટર્નસર્કલ, પ્રોગ્રેસ રીપેટ, સન ૧૯૦૬. '
६६४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org