SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ જાલેર કિલ્લાના લેખે. નં. ૩૫૧ ] ( ૨૪૩) અવલોકન. ઉપરથી જણાય છે કે કીતિપાલે વિ. સં. ૧૨૩૬ થી ૩૯ સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ. તેના પુત્ર સમરસિંહે જાલેરની સમીપમાં આવેલા કનકાચલ અથવા સુવર્ણગિરિ નામના પહાડ ઉપર મજબૂત કિલ્લો બંધાવ્યું. છેવટે કાન્હડદેવના વખતમાં દિલ્હીના સુલ્તાન અલ્લાઉદ્દીન ખીલજીએ જાહેર ઉપર ચઢાઈ કરી વિ. સં. ૧૩૬૮ માં ત્યાં પિતાની હકૂમત જાહેર કરી. ત્યાર બાદ ત્યાં મુસલમાનેનેજ લાંબા સમય સુધી અધિકાર રહે. હાલમાં જોધપુરના રાઠેડોના વિશાલ રાજ્યનું માત્ર તે એક જીલ્લાનું ઠેકાણું ગણાય છે. * જાલેર ગામમાં એક મહેટી કબર આવેલી છે જેને હાલમાં તે પખાના તરીકે ઉપયોગ થાય છે. આ કબરને ઘાટ અજમેરમાં આવેલી સુપ્રસિદ્ધ કબર કે જેને ત્યાંના લેકે “સાફ દિન જાપા ” કહે છે તેને જે છે. આ કબર મહટા ભાગે જનમંદિરે ભાંગી તેમના સામાનથી બંધાવવામાં આવી છે એમ એની બાંધણી અને સ્તંભે ઉપર આવેલા જુદા જુદા લેખે ઉપરથી જણાય છે. હિંદુઓના મંદિરના અવશેષે પણ છેડા ઘણા માલમ પડે છે તેથી તેમને પણ આના માટે ભાગ લેવાયેલે અવશ્ય છે. શ્રીયુત ડી. આર. ભાંડારકરના ઉલ્લેખ પ્રમાણે (જુઓ, આર્કિઓલોજીકલ વેસ્ટર્ન સર્કલ પ્રેસ રીપોર્ટ, સન ૧૯૦૫૬) “આ કબર ઓછામાં ઓછા ચાર દેવાલયોની સામગ્રીવડે બનાવવામાં આવી છે જેમાંનું એક તે સિંધુરાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજા ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર નામના જૈન મંદિર છે. આમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું.” (૩૫૧ ) આ નંબરવાળે લેખ ઉપર વર્ણવેલી કબરની પરસાળના એક ખૂણામાં આવેલા સ્તંભે ઉપરના એક ઉપર એક રહેલા એમ બે ૬૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy