________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૨૪ર) [ જાલેર કિલ્લાના લેખ ન. ૩૫૦.
૮-૧૦ પંકિતઓનો સંબંધ પ્રથમની પંકિતઓ સાથે હોય એમ લાગે છે, અને તેમાં કહેવામાં આવ્યું છે કે-માતા ધારમતીના પુણ્યાર્થે સંવત્ ૧૨૬૬ ને જયેષ્ઠ સુદિ ૧૩ ને શનિવારે આ સ્તંભને સમરાવવામાં આવ્યો હતે ધારમતીને અહિં માતા તરીકે લખી છે તેથી સમજાય છે કે તે રાહા અને પાલ્હાની જનની હશે.
જાલોર કિલ્લાના લેખો મારવાડ દેશના દક્ષિણ ભાગમાં જાર નામનું એક શહેર અને જીલ્લાનું મુખ્ય મથક છે. મારવાડની રાજધાની જોધપુરથી ૮૦ માઈલ દૂર અને સુદડી નદીને કાંઠે તે નગર વસેલું છે. જૂના લેખે અને ગ્રંથમાં આ નગરનું જાબાલીપુર એવું નામ મળી આવે છે. સુપ્રસિદ્ધ વેતામ્બર આચાર્ય જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૮૦ માં હરિભદ્રાચાર્ય વિરચિત “અષ્ટક સંગ્રહ’ નામના ગ્રંથ ઉપર પતે રચેલી વિદ્વત્તા ભરેલી ટીકાનું સમાપન આજ નગરમાં કર્યું હતું. બીજા પણ અનેક ગ્રંથોમાં આનું નામ મળી આવે છે. આ ઉપરથી જણાય છે કે પ્રાચીન કાળમાં આ સ્થાન જૈનસંસ્કૃતિ અને જાહેરજલાલી ભરેલું હતું. રાજકીય ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરતાં જણાય છે કે પ્રથમ ત્યાં પરમારનું રાજ્ય હતું. જાલેરમાંથી મળી આવતા લેખમાં સાથી જુને લેખ “સં. ૧૧૭૪ આષાઢ સુદિ ૫ ભેમે” ની મિતિને છે અને તેમાં રાજકર્તા તરીકે વસલ નામના પરમારને ઉલ્લેખ છે. આ લેખમાં વીસલના પહેલાંના ૬ રાજાઓનાં નામો આપેલાં છે. દરેક રાજાના ૨૦ વર્ષ, આ પ્રમાણે ગણિએ તે એકંદર ૧૨૦ વર્ષ પૂર્વે–અર્થાત વિ. સં. ૧૦૫૪ ( ઈ. સ. ૯૯૭) થી ત્યાં એ વશ રાજ્ય કરતે હો એમ માની શકાય. પરમાર પછી ત્યાં ચાહમાને (હાણ) ને અધિકાર થયે. એ લોકોના અધિકારની શરૂઆત કયારથી થાય છે તે હજી ચેકસ જણાયું નથી પરંતુ સુન્ધા ટેકરીના લેખમાં જણાવ્યા પ્રમાણે કીતિપાલ ચહાણે નાડોલથી પિતાની રાજધાની જાહેરમાં આવ્યું હતી. બીજા પ્રમાણે
૬૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org