SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૯૮) | રાણપુર બનાવ્યાં. નાના પ્રકારની પુતળીઓ વિગેરેના સુંદર કોતરકામ વડે અલંકૃત થએલા અને જેમને જોઈને લેકેના ચિત્ત ચમત્કૃત થાય એવા તે મૂલમંદિરને ૪ બાજુ ૪ ચંદ્ર જેવા ઉજજવળ “ભદ્રપ્રાસાદે ” બનાવ્યાં. આવી રીતે તૈયાર થએલું તે મદિર સાક્ષાત નંદીશ્વરતીર્થની સાથે સ્પર્ધા કરતું હોય તેમ જણાતું હતું અને તેથી તેનું નામ “ત્રિભુવનદીપક” આવું રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યના બિબ જેવાં તેજસ્વી એવા આદિનાથતીર્થકરનાં ૪ બિબની સેમસુન્દરસૂરિના હાથે પ્રવિત્ર પ્રતિષ્ઠા કરાવી. દીન જનેના ઉદ્ધારક એવા ધરણાક શેઠે એ પ્રતિષ્ઠાના સમયે જે જે આશ્ચર્ય પમાડનારા મહોત્સવે કર્યા તે જોઈને કે વિસ્મયપૂર્વક મસ્તક નહિં ધુણાવ્યું ? એ મહોત્સવ પછી સોમદેવ વાચકને તેણે આચાર્યપદ અપાવ્યું અને તેના માટે પણ બહુ દ્રવ્ય વ્યય કરીને એક તે જ બીજે મહોત્સવ કર્યો. ”, મેહ નામના એક યતિએ સંવત્ ૧૪૯ ના કાતિક માસમાં રાણકપુરના એ મંદિરનું એક સ્તવન બનાવ્યું છે તેમાં પણ સંક્ષેપમાં આ કાવ્ય પ્રમાણે જ વર્ણન કરેલું છે. એ સ્તવનમાં ધરણા (ધન્ના) સેઠનું મૂળ વાસસ્થાન તરીકે રાણપુર જ જણાવ્યું છે, અને તેનું વર્ણન આ પ્રમાણે આપે છે – હીચડઉ હરષઈ મઝ ઉલ્લીઉં, રાણિગપુર દીઠઈ મન વસિ", અણહલપુર અહિનાણ. ગઢમઢ મંદિર પિલ સુચગે, નિરમલ નીર વહુઈ વિચિ ગળે પાપ પખાલસુ અગે. ૧ આમાં રાણકપુરને અણહિલપુર ( પાટણ )ની સાથે સરખાવ્યું છે તેથી જણાય છે કે એ સ્થાન મેટા નગર જેવું હશે. કેટીધજ વિવહારીઆના વસવાવાળે ઉલ્લેખ પણ એજ વાત સૂચવે છે. ૨ રાણકપુરની વચમાં એક નદી વહેતી હતી; તે આજે પણ તેમજ વહે છે. ૬૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy