SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખે. નં. ૩૦૬ ] ( ૧૮૪) અવલોકન માનોનું કૃત્ય છે. વળી, જે મુસલમાનોની આ નગરનો નાશ કરવાની ઇચ્છા હોય તો પાંચ દેવાલયે મૂકીને નગર બાળી મુકે એ અસંભવિત છે. ગર કુંભારીઆમાં એવી દંત કથા ચાલે છે કે અંબામાતાએ વિમળશાહને પુષ્કળ દ્રવ્ય આપ્યું, વળી દેલવાડામાં વિમળશાહના દહેરામાંના જે લેખમાં તેની મિતિ ઈ. સ. ૧૦૩૨ આપી છે તેજ લેખમાં એમ કહેવું છે કે તેણે આ દહેરૂ અંબામાતાની આજ્ઞાનુસાર બંધાવ્યું. આ ઉપરથી એમ લાગે છે કે અંબામાતા તેની કુળદેવી 'હશે, પણ જે અંબામાતાએ દેલવાડામાં રૂષભનાથનું દેવાલય બાંધવાને તેને આજ્ઞા કરી તે જ અંબામાતાનું મંદિર આ દેવાલયમાં છે અને બીજા અંબામાતા કરતાં પહેલા અંબામાતા જુના છે. આરાસણુપુરમાં પણ અં બામાતાનું એક મંદિર છે તેથી એમ હોઈ શકે કે વિમળશાહ માતાને નમન કરવાને ત્યાં આવ્યો હશે અને જેમ દેલવાડામાં માતાના મંદિર નજીક એક જૈન દેવાલય તેણે બંધાવ્યું તેમ અહીં પણ બંધાવ્યું. જે આ બાબત કબુલ કરવામાં આવે તો એમ સૂચિત થાય છે કે અંબાજીમાં માતાનું મંદિર તે મૂળ જન દેવાલય હશે, તથા એમ પણ દર્શિત થાય છે કે હાલ પણ ઘણું જેને ત્યાં જાત્રા માટે પ્રથમ જાય છે અને * મને શંકા છે કે હાલ ત્યાં છે તેના કરતાં વધારે દેવાલયે ત્યાં હશે કે નહિ? જે બળેલા પથ્થરો ત્યાં પડેલા છે. તે ઉપરથી એમ જણાય છે કે ત્યાં સાધારણ ઘરે અગર મહેલો હશે. પથ્થરને બળવાને માટે લાકડું જોઈએ અને આ પથ્થરો તેમનાં બારી બારણામાં હશે. દેવળોમાં ખરી રીતે એવું કાંઈ નથી કે જે તેમની મેળે બળી શકે, તેથીજ આ દેવાલ આગમાંથી બચી ગયાં. જો કે આરાસણ વિષેની મિ. ભાન્ડારકરની હકીક્ત ખરી છે તે પણ તે કુંભારીઆ વિષે કાંઈ કારણ આપી શકતા નથી. આ વિષય ઘણજ ઝીણે છે અને તેના વિષે ખાસ નિર્ણય ઉપર આવતા પહેલાં તેની ઘણી તપાસ કરવાની જરૂર છે. આ પુરાણું શહેર ઈ. સ. ૧૬૧૮ પછી નાશ પામ્યું હશે એવા તેમના મતને હું મળતા નથી. ઈ. સ. ૧૪૧૫ માં અહમદશાહ પહેલો સિદ્ધપુરનો રૂદ્રમાળ તેડવા ગયે અને નાગરની સાથે ધર્મ યુદ્ધ ચલાગ્યું અને પછીના વર્ષમાં જેજે દેવાલો અને મલિઓ તેને રસ્તામાં આવ્યાં તે તેણે ભાંગ્યાં. એ આપણે જાણીએ છીએ. ઈ. સ. ૧૪૩૩ માં સિદ્ધપુરની આજુ બાજુનાં ગામો તથા શહેરે ઉજજડ કર્યો અને જયારે જયારે તેની નજરમાં આવતાં ત્યારે ત્યારે તે દેવાલયોને તોડી નાંખતો. તબદીને કુંભલમેરને ઘેરો ઘાલ્ય અને તેની આજુ બાજુને પ્રદેશ ઉજજડ કર્યો. વી, . સ. ૧૫૨૧ માં મુઝફરશાહ બીજા એ ડુંગરપુર તથા વાંસવાડાનાં ગામે ઉજજડ કર્યો અને બાળી મુકયાં. પણ આ બધી વિગતે વિષે ચર્ચા ચલાવતાં ઘણે વખત લાગશે અને તેથી તે કામ આ પ્રોગ્રેસ રીપેટમાં બનવું અશક્ય છે. H. C. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy