SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) વેશ કરે છે. તેથી એ બધા વેતાંબર લેખો જ છે એ સ્પષ્ટ જ છે. વળી, જૈન લેખો ત્રણ વર્ગોમાં વિભક્ત થાય છે; (૧) તામ્રપત્ર ઉપર કતરેલા લેખ, (૨) શિલાપટ્ટ પર ઉકેલા લેખે, અને (૩) મૂર્તિઓ ઉપર ખેલા લેખો, આ છેલા વર્ગના વળી બે વિભાગ થાય છે, જેમાં એકમાં પાષાણની પ્રતિમા ઉપરના લેખેને સમાવેશ થાય છે, અને બીજામાં ધાતુની મૂર્તિઓ ઉપરના લેખોનો સમાવેશ થાય છે. મેં આ સંગ્રહમાં શિલાલેખે અને પાષાણની પ્રતિમા ઉપરના લેખે જ લીધા છે. તામ્રપત્ર કે ઘાતુની મૂર્તિના લેખેને આમાં સ્થાન આપ્યું નથી. ધાતની પ્રતિમાઓની સંખ્યા જેન મંદિરોમાં ઘણી મોટી નજરે પડે છે; અને પ્રાયઃ તે દરેક પ્રતિમા ઉપર પાછળના ભાગમાં લેખ કેત રિલે હોય છે એટલે તે લેખોની સંખ્યા કેટલાએ હજારની થાય તેમ છે. પરંતુ તે લેખે ટુંકા અને બહુ જ ઠી વિગતવાળા હોય છે, તેમાં આ શિલાલેખ જેવી વિવિધતા નજરે પડતી નથી. તે લેખોમાં સાધારણ રીતે, સંવત્, ગામનું નામ, મૂતિ કરાવનારનાં જ્ઞાતિ, ગેત્ર, માતા, પિતા, સ્ત્રી, પુત્ર આદિનાં નામ, જે તીર્થકરની મતિ હોય તેનું નામ, અને મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામઃ આટલી વિગત લખેલી હોય છે. આવા લેખોને એક સંગ્રહ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરફથી પ્રસિદ્ધ થયેલ છે, જેમાં લેખે આપેલા છે. ઈતિહાસ અને સાહિત્ય તરફ વિશેષ પ્રીતિ ધરાવનાર કલકત્તા નિવાસી શ્રીમાન બાબૂ પૂરણ દ્રજી એમ. એ. બી. એલ. તરફથી પ્રકટ થએલા લેખસંગ્રહમાં પણ આવા ધાતુની પ્રતિમા ઉપરના કેટલાક લેખો સંગૃહીત થએલા - શ્રીમદ્ બુદ્ધિસાગરને આ સંગ્રેડ બહુ કાળજીપૂર્વક તૈયાર થશે હોય તેમ જણાતું નથી. કશું કે આમાંના કેટલા એ લેખોમાં–મારી પાસે તેજ લેખો સાથે મેળવતાં મેટી ભૂલ થએલી નજરે પડે છે. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy