________________
માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સજ્ઝાય
એમ આઠે દિશામાં ઊંચા ઊંચા એવાં આઠ શિખરો હોય, તો તેની આડથી સૂર્યનો નિર્મળ પ્રકાશ (વિમલાલોક) વચ્ચેની ભૂમિમાં (નાવે) આવતો નથી. તેથી (કિમ તમ ટલે) અંધકાર કેમ જાય ? એવી રીતે ચારે દિશા અને ચારે વિદિશાની અંદર આઠ પ્રકારના (અભિમાન) મદરૂપી શિખરોવાળો માનકષાય રૂપી પર્વત એવો ઊંચો ઉભો છે જેનાથી સમ્યગજ્ઞાન રૂપી પ્રકાશ આ આત્મામાં આવતો જ નથી. તેથી મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધકાર કેમ દૂર થાય ?
સારાંશ કે - ઊંચો આઠ શિખરો વાળો ચોતરફ પર્વત હોય તો વચ્ચે પ્રકાશ આવે નહીં અને અંધકાર ટલે નહીં. તેમ આઠ પ્રકારના મદવાળો માનકષાય રૂપી પર્વત મનુષ્યમાં એટલો ઊંચો છે કે જેનાથી ઢંકાયેલા આ આત્મામાં સભ્યજ્ઞાનરૂપી પ્રકાશ આવતો જ નથી. તેને સાચું શાસ્ત્ર ભણવાનું, સાચા ગુરુનું આલંબન લેવાનું અને સાચું જ્ઞાન મેળવવાનું મન જ થતું નથી. તો અનાદિ કાળથી રૂઢ થયેલું મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધકાર કેમ દૂર થાય ? મિથ્યાત્વ અજ્ઞાન અને કષાયાદિને દૂર કરનાર સાચું કારણ શાન જ છે. તે જો જીવમાં ન આવે તો દોષો કેમ દૂર થાય ? || ૧ ||
-
પ્રજ્ઞામદ-તપમદ વલી ગોત્રમદે ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગી કર્યા । ક્ષયોપશમ અનુસારે જો એહ ગુણ લહે । શ્યો મદ કરવો એહમાં ? નિર્મદ સુખ લહૈ ॥ ૨ ॥
તપનો
શબ્દાર્થ
પ્રજ્ઞામદ
બુદ્ધિનો અહંકાર, તપમદ
અહંકાર, ગોત્રમદ - કુલનો અહંકાર, આજીવિકા મદવંત-ધનના
મદવાળો જીવ, એહ ગુણ વહે
આ ગુણ પામે, શ્યો મદ કરવો
મદ શું કરવો. ॥ ૨ ॥
Jain Education International
-
૮૧
w
-
For Private & Personal Use Only
www.jainelibrary.org