________________
૮૦
અઢાર પાપસ્થાનક
“માન કષાય” નામના સાતમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હોય દુરિત-શિરતાજ એ ! આઠ શિખર ગિરિરાજ તણાં આડાં વલે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટલે કે ૧ |
શબ્દાર્થ - જિનરાજ - શ્રી જિનેશ્વર પ્રભુદુરિત-શિરતાજ - પાપોમાં અગ્રેસર, ગિરિરાજતણાં - માન નામના પર્વતનાં, આડાં વલે - આડાં આવે, નાવે - ન આવે-પ્રાપ્ત થાય નહીં, વિમલાલોક - નિર્મળ જ્ઞાન, તમ ટલે - અંધકાર દૂર જાય | ૧ ||
ગાથાર્થ - જિનેશ્વર ભગવંતો શાસ્ત્રોમાં “માન” નામનું સાતમું પાપથાનક જણાવે છે. તે “માન” માનવમાત્રમાં સર્વપાપોમાં અગ્રેસર હોય છે જ્યાં માનપર્વતનાં આઠ પ્રકારના મદસ્વરૂપ આઠ શિખરો આડાં આવતા હોય છે ત્યાં નિર્મળ જ્ઞાનરૂપી પ્રકાશ આવે નહીં, તેના વિના અજ્ઞાનરૂપી અંધકાર ટળે નહીં I I
વિવેચન - હવે જિનેશ્વર ભગવંતો “માન” નામનું સાતમું પાપ સ્થાનક સમજાવે છે. સંસારમાં ચાર ગતિ છે. તેમાં ક્રોધ-માનમાયા અને લોભ કષાયોની સંજ્ઞા સર્વજીવોમાં હોય છે છતાં નારકીમાં ક્રોધ વધારે, તિર્યચોમાં માયા વધારે, દેવોમાં લોભ વધારે અને માનવામાં માન વધારે હોય છે. એટલે માનવમાત્રને “માન” નામનો કષાય બહુ જોરમાં વર્તતો હોય છે. તેના કારણે બીજાં પણ ઘણાં પાપો આ જીવ આચરે છે. તેથી સર્વ દુરિતોમાં (પાપોમાં) શિરતાજ (રાજાસમાન) આ માન કષાય છે અને તે સર્વ માનવમાત્રમાં હોય છે અને સવિશેષપણે હોય છે.
જેમ પર્વતનાં ચારે દિશામાં ચાર, અને ચારે વિદિશામાં ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org