________________
ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સઝાય
૭૩
શબ્દાર્થ - ચરણ-ગુણે-ચાત્રિ સ્વરૂપ ગુણથી, ક્રોધવિવશ - ક્રોધને પરવશ, દોસઘડી - બે ઘડી, હારે - હારી જાય || ૩ |
ગાથાર્થ - જે મહાત્માએ એક પૂર્વકોડ વર્ષો સુધી રાત્રિ પાળીને પોતાના આત્માને ભાવિત (આરાધકો કર્યો છે. તે મહાત્મા પણ બે ઘડી કાલ પુરતા ક્રોધને પરવશ થયા છતા સઘળું ચાસ્ત્રિનું ફળ હારી જાય છે / ૩ /
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને ઉપસર્ગ કરનાર ચંડકૌશિક સર્પનો જીવ પૂર્વે ત્રીજા ભવમાં મુનિવર હતો, ઘણા વર્ષ સુધી ઉત્તમ સાધુપણું પાળીને આત્મહત્ત્વની જેણે આરાધના કરી છે. જેણે આત્મતત્ત્વ સાધ્યું છે. તેવા તે મુનિવર પ્રસંગવશાત્ બે ઘડી કાલમાત્ર ક્રોધને આધીન થયેલા જેના કારણે બધું જ સંયમ ફળ હારી ગયા, અને ક્રોધને વશ થયેલા તેઓ શિષ્યને મારવા માટે જ્યારે દોડે છે, ત્યારે થાંભલા સાથે ભટકાયા છતા મૃત્યુ પામે છે. મરીને ક્રોધી તાપસ થાય છે ત્યાં પણ ઘણો જ ક્રોધ કરતા છતાં આશ્રમમાં રમવા આવતાં છોકરાઓની પાછળ દોડ્યા, અને નીચે રહેલા ઊંડા કૂવામાં પડ્યા ત્યાંથી મરીને ચંડકૌશિક સર્પ થયા. આમ બે ઘડી માત્રના ક્રોધથી ઘણા વર્ષનું સંયમફળ આ જીવ હારી જાય છે.
આ જ રીતે પૂર્વકોડ વર્ષ સુધી સંયમ પાળીને બે ઘડી પણ જો આ જીવ ક્રોધના આવેશમાં આવે છે તો પૂર્વક્રોડવર્ષનું પાળેલું સંયમ ફળ પણ હારી જાય છે. માટે હે જીવ! ક્રોધ છોડવા જેવો છે. | ૩ || બાળે તે આશ્રમ આપણો, ભજના અન્યને દાહે રે | ક્રોધ કૃશાનુ સમાન છે, ટાલે પ્રથમ પ્રવાહે રે | ૪
શબ્દાર્થ - ભજના-વિકલ્પના, અન્યને - બીજાને, દાહે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org