________________
અઢાર પાપસ્થાનક
બોલાવે, બીજા ઉપર ખોટાં દોષારોપણ કરાવે, કડવી ભાષા બોલાવે, મેણાં ટોણાં અને વ્યંગ વચન બોલાવે, હત્યા કરાવે આમ અનેક દુરિતોનો (પાપોનો) પક્ષપાતી (પક્ષ કરનાર) બને છે માટે ક્રોધ વર્જવા યોગ્ય છે. તથા આ ક્રોધ એ નરકમાં જવાનું પ્રવેશદ્વાર છે. તેથી પણ વર્જવા જેવો છે. તે ૧ / પાપસ્થાનક છઠું પરિહરો, મન ધરી ઉત્તમ ખંતી રે ! ક્રોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે / ૨ /
શબ્દાર્થ - ભુજંગ-સર્પ, જાંગુલી - ગારૂડિક વિધા II ૨ II
ગાથાર્થ - મનમાં ઉત્તમ ક્ષમાને ધારણ કરીને ક્રોધ નામનું છઠું પાપરથાનક ત્યજ, તે ક્ષમા, ક્રોધરૂપ સપને વશ કરવામાં ગારૂડિક વિધા સમાન છે. અવશ્ય વિજય અપાવનાર છે I ૨ ll
વિવેચન - ક્રોધ નામનું આ છઠું પાપસ્થાનક ત્યજવા જેવું જ છે. તેને દૂર કરવા માટે તેનો વિરોધી ગુણ જે “ક્ષમા” છે. તેને મનમાં ધારણ કરીને આ ક્રોધને કાઢો. ક્ષમા એટલે સામેના અપરાધીના અપરાધો જતા કરવા. ગમ ખાવી, સહનશીલ બનવું, મનમાં જરા પણ આવેશ ન લાવવો.
આ ક્ષમા નામનો ગુણ ગારૂડિક વિદ્યા સમાન છે. જેમ ગારૂડિક વિદ્યા જપવાથી સર્પનું ઝેર ઉતરી જાય છે. તેમ ક્ષમા ધારણ કરવાથી ક્રોધનું ઝેર ઉતરી જાય છે એટલે આ ક્ષમા, ક્રોધરૂપી સર્પને ઉતારવામાં ગારૂડિક વિદ્યા સમાન છે. આ ક્ષમા નામનો ગુણ ક્રોધ ઉપર અવશ્ય વિજય અપાવનારો જ બને છે ૨ પૂરવ કોડી ચરણ-ગુણે, ભાવ્યો છે આતમાં જેણે રે | ક્રોધ વિવશ હતાં દોય ઘડી, હારે સવિ ફલ તેણે રે Iial
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org