SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજઝાય ૪૭ શીલવાન હોવાથી પરસ્ત્રી માટે જ તે નપુંસક છે. બાકી વાસ્તવિક તો તે પુરુષ જ છે. કપિલાને ખેદ થયો, હૃદયમાં ઈષ્ય જન્મી, રાણી અભયાને કહ્યું કે હું તો છેતરાઈ પણ તમારી વાત તો સાચી હોય તો તમે તો બુદ્ધિશાળી છો. એકવાર પ્રયત્ન અજમાવો અને આ શેઠ સાથે ભોગ ભોગવો. તો જ તમે સાચાં અભયા. અભયાએ કહ્યું કે હે કપિલા ! હું રાગથી જેનો હાથ પકડું તે પાણી-પાણી થાય. પત્થર પણ ઓગળી જાય. તો આ સુદર્શન તો શું હિસાબમાં ? કપિલાએ કહ્યું કે હે અભયા રાણી ! અભિમાન ન કરો. બોલવું સહેલું છે, કરવું ઘણું અઘરું છે. જો તમે સાચાં હો તો સુદર્શન શેઠ સાથે એક વાર રતિક્રીડા કરો, તો જ સાચાં. રાણી અભયાએ ગર્વમાં જ પ્રતિજ્ઞા કરી કે હું સુદર્શન શેઠને ફસાવીશ જ, અને તેની સાથે રતિક્રીડા કરીશ જ. મહોત્સવ પૂરો થતાં જ સૌ પોતપોતાને ઘેર ગયાં. અભયાએ પોતાની પ્રતિજ્ઞાની વાત પોતાની ધાવમાતા “પંડિતા” ને કહી. પંડિતાએ કહ્યું કે તે આ ખોટી પ્રતિજ્ઞા કરી. સુદર્શન શેઠ અચલિત શીલ સંપન્ન છે. તે ફસાસે નહિ. આ કાર્ય અશક્ય છે, અભયાએ કહ્યું કે એકવાર તું ગમે તે ઉપાયે તે શેઠને અહીં લાવ, પછી હું સંભાળી લઈશ. એકવખત દધિવાહન રાજાનું ફરમાન બહાર પડ્યું કે આ દિવસે કૌમુદી મહોત્સવ ઉજવવાનો છે. તેથી દરેકે ગામ બહાર ઉદ્યાનમાં આવવું. તે દિવસે પર્વનો દિવસ હોવાથી સુદર્શન શેઠે ગામમાં કોઈ એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગ રહેવાની રાજા પાસે રજા માગી. રાજાએ શેઠ ધાર્મિક પુરુષ છે એમ સમજીને રજા આપી. આ બાજા પંડિતા નામની ધાવમાતાને આ વાતની ખબર પડી. એટલે અભયારણીને કહ્યું કે સુદર્શન શેઠ ગામમાં જ પૌષધવ્રત લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy