________________
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સજ્ઝાય
ખોવાઈ ગયેલું, પડ્યું રસ્તામાં પડી ગયેલું, વિસર્યું - ભૂલી જવાયેલું, રહ્યું - આપણે ઘરે રહી ગયેલું, રાખ્યું - આપણે ઘેર થાપણરૂપે કોઈએ રાખેલું - મુકેલું, થાપણ કર્યું જેહ . જે ધન થાપણરૂપે કર્યું હોય, તૃણતુસમાત્ર ઘાસના તણખલા જેટલું પણ, અણદીધું - ન આપેલું, કિહાં
ક્યાંય પણ. | ૪ ||
-
ગાથાર્થ - ભાગી ગયેલું, ખોવાઈ ગયેલું, પડી ગયેલું, વિસરી ગયેલું, રહી ગયેલું, રાખી મુકેલું જે કોઈ ધન (થાપણ) હોય, તે ધન ઘાસના તણખલા જેટલું પણ માલિકે આપ્યા વિના ક્યાંય પણ કોઈનું પણ લેવું નહીં. || ૪ ||
૨૯
વિવેચન - નીચે જણાવેલા પ્રકારોમાંની કોઈ પણ જાતની, કોઈની પણ, ક્યાંય પણ થાપણ મળી હોય તો માલિકની સમ્મતિ વિના લેવી નહીં.
(૧) નાઠું-કોઈ ખેડુત પોતાના પશુઓને (ગાય-ભેંસ-બકરાં કે ઘેટાં ઈત્યાદિ) ચરવા માટે લઈ ગયો અને ખેતરોમાં છૂટાં મૂક્યાં, તેમાંથી કોઈ પશુ નાસીને-ભાગીને બીજા ટોળામાં આવી ગયું. તો બીજા ટોળાના માલિકે પ્રથમ ટોળાના માલિકની સંમતિ વિના રાખી લેવું જોઈએ નહીં, અન્યથા ચોરીનો દોષ લાગે, એવી જ રીતે કોઈના ઘરમાંથી ચોરી આદિ કોઈ ગુન્હો કરીને નાશેલા-ભાગેલા માણસને બીજાએ સંઘરવો નહીં. જો તે તેને રાખે તો તેના ઉપર આવા દોષનો આરોપ આવે. આ વાત સચેતન આશ્રયી કરી.
Jain Education International
અથવા કોઈનું ખોવાઈ ગયેલું, પાકીટ-પૈસા આદિ ધન રસ્તામાંથી જડે તો પણ માલિકે આપ્યા વિના લેવું નહીં. કારણ કે એમ કરવાથી પણ અદત્તનો દોષ લાગે. આ અચેતન આશ્રયી સમજાવ્યું.
ઘણીવાર કોઈનું ખોવાઈ ગયેલું ધન-પાકીટ-પૈસા અલંકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org