________________
૨૨
વમતો કર્યો. જે રાજા સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો તે જ રાજા મૃષાવાદી તરીકે જાહેર થયો. પર્વત પણ ત્યાંથી ભાગી ગયો. વસુરાજા મૃષાવાદથી રાજ્યભ્રષ્ટ અને માનભ્રષ્ટ બન્યો.
યુધિષ્ઠિર રાજાનું પણ નરો વા જ્જરો વા'' મિશ્રવચન બોલવાથી અદ્ધર ચાલતું આસન નીચે થઈ ગયાનું વિધાન લોક વ્યવહારમાં જાણીતું છે. આવા પ્રકારનાં અનેક ઉદાહરણો છે કે સત્યનો પ્રભાવ ગુમાવી બેસનારા રાજાઓ ભોંયભેગા થયા હોય માટે ઉત્તમ આત્માઓએ સત્યવચન (સાચું બોલવાનો નિયમ) અને સત્ય જીવન જીવવાનો નિયમ જરા પણ છોડવો જોઈએ નહીં. ॥ ૪ ॥
જે સત્યવ્રત ધરે ચિત્ત, હોય જગમાંહિં પવિત્ત । આજ હો તેહને રે, નવિ ભય સુર વ્યંતર યક્ષથીજી ||૫|| શબ્દાર્થ સાચું બોલવાનું અને સત્યજીવન જીવવાનું, જગમાંહિં - જગતની અંદર, પવિત્ત - પવિત્ર, તેહને તેને, નતિભય - ભય થતો નથી, સુર વ્યંતર યક્ષથીજી - દેવોથી દાનવોથી અને યક્ષ યક્ષિણીઓથી. ॥ ૫ ॥
સત્યવત
-
અઢાર પાપસ્થાનક
Jain Education International
"
ગાથાર્થ - જે જે આત્માઓ પોતાના ચિત્તમાં ‘“સત્યપણાનું’
A
વ્રત ધારણ કરે છે. તે તે આત્માઓ આ જગતમાં અત્યંત પવિત્ર છે. તેવા આત્માને દેવો-દાનવો અને યક્ષ-યક્ષિણીઓથી પણ ભય થતો નથી. ॥ ૫ ॥
–
વિવેચન “સદા સત્ય બોલવું” તથા “સદા સત્યજીવન જીવવું” આવું વ્રત જે જે આત્માઓ ચિત્તમાં ધારણ કરે છે. જરા પણ ગોટાળો કરતા નથી. મનમાં સત્યાસત્યની મિશ્રતા કરતા નથી. મૃષાવાદનો પૂર્ણપણે નાખુશીભાવપૂર્વક ત્યાગ કરે છે. તે તરફ જેનું મન અલ્પ પણ લલચાતું નથી. આવા મહાત્મા પુરૂષો જ આ જગતમાં
-
For Private & Personal Use Only
www.jainelibrary.org