________________
મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય
૨૧
હે પર્વત ! તારી ભૂલ છે. સુધારી લે. પર્વતને નારદની વાત સ્વીકારવામાં અને પોતાની ભૂલ સ્વીકારવામાં અપમાન લાગ્યું. તેથી બન્ને વચ્ચે વિવાદ થયો. નારદે કહ્યું કે ચાલો, આપણે વસુરાજા પાસે જઈએ. તે આપણા સહાધ્યાયી છે. તેઓએ આપણી સાથે જ ગુરુ પાસે અધ્યયન કર્યું છે. તે જે કહે તે પ્રમાણે કબૂલ રાખવું. આ બાબતમાં બન્ને સહમત થયા. તેઓએ પરસ્પર એક શરત કરી કે જેનું ખોટું પડે તેની જીભ કાપી નાખવી.
પર્વત ઘરે ગયો, પોતાની માતાને વાત કરી, તેની માતાએ કહ્યું કે હે પુત્ર ! તે આ શું કર્યું ? મોટી ભૂલ કરી. તારા પિતા ભણાવતા હતા ત્યારે મેં પણ સાંભળ્યું છે કે “મન” નો અર્થ જાની ડાંગર કરવો પણ બકરો અર્થ ન કરવો. હવે તારું શું થશે ? તારી જીભ કપાશે !
પુત્ર ઉપરના પ્રેમથી માતા (ગુરુપત્ની) વસુરાજા પાસે ગયાં. જે ગુરુજી પાસે નારદ અને પર્વતની સાથે વસુરાજા ભણતો હતો તે જ ગુરુજીનાં આ પત્ની હતાં. એટલે ગુરુજી ઉપરના બહુમાનને લીધે ગુરુપત્ની ઉપર પણ ઘણું જ માન અને લાગણી રાજાને હતી. ગુરુપત્નીએ વસુરાજાને પર્વત અને નારદના વિવાદની વાત કરી. અને અજનો અર્થ જાની ડાંગર ન કરતાં બકરો અર્થ કરવા માટે દબાણ કર્યુ. વસુરાજા ગુરુમાતા પ્રત્યેના પ્રેમથી જૂઠું બોલવા તૈયાર થયો.
ત્રીજા દિવસે નારદ અને પર્વત આ બન્ને વસુરાજા પાસે આવ્યા. પોતપોતાની વાત રજા કરીને સત્યવાત કહેવા વિનંતી કરી. વસુરાજા ગુપત્ની ઉપરના બહુમાનથી જૂઠું બોલવા તૈયાર થયા અને પર્વતનો પક્ષ સ્વીકારીને અજનો અર્થ બકરો થાય, ગુરુજી બકરો જ અર્થ સમજાવતા હતા એમ કહ્યું. આ મૃષાવાદથી દેવો કોપાયમાન થયા, સિંહાસન ઉપરથી રાજાને ભૂમિ ઉપર પટક્યો અને લોહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org