________________
૨૦૬
અઢાર પાપસ્થાનક
સારો રાખે. વિષયાભિલાષા અને વિકારો હૃદયમાં સાજા-તાજા જ હોય તેવા જીવોએ ગમે તેવી બાહ્યાચારની સાધુતા પાળી હોય તો પણ જમનો વારો (મૃત્યુની નજીકતા) જ્યારે આવે ત્યારે તેઓ શું કરી શકે ? શું કરી શકવાના ? અર્થાત્ કંઈ જ ન કરી શકે. નરકનિગોદ રૂપ દુર્ગતિમાં જવું જ પડે અનંતભવભ્રમણ થાય છે. માટે આવા પાપથી હે જીવ ! ચેતવા જેવું છે.
પોતે પોતાના પાપને જાણતો હોય છે. તથા શાસ્ત્રોમાં શું કહ્યું છે? તે પણ પોતે જાણતો હોય છે. તો પણ દંભપૂર્વક એવા (ઉત્કૃષ્ટ) માયામૃષાવાદને તે જીવ સેવતો હોય છે કે જે જાઈને અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. કે અરે, આ જીવ શું આવું કરે? જગતના જીવો આશ્ચર્ય પામે તેવાં પાપો આ જીવ કરતો હોય છે. માટે આ પાપસ્થાનક સારું નથી. ત્યજવા જેવું જ છે. જે સમ્યગ્દષ્ટિ આત્મા હોય છે તેનું જ મન પાપથી ડરતું હોવાના કારણે તથા વૈરાગ્યભીનું હોવાના કારણે આવાં આવાં પાપો કરતાં થંભી જાય છે. વિરામ પામે છે. અટકી જાય છે. સમ્યગ્દષ્ટિ જીવો જ આવા પાપોથી બચે છે. તે ૯-૧૦ || શ્રત મર્યાદા નિરધારી, રહ્યા માયામોસ નિવારી, શુદ્ધભાષકની બલિહારી હો લાલ,
માયા-મોસ નવિ કીજિયે, જે માયાએ જૂઠ ન બોલે, જગ નહિ કોઈ તેહને તોલે, તે રાજે સુજસ અમોલે, હો લાલ,
માયા-મોસ નવિ કીજિયે. ૧૧-૧૨ || શબ્દાર્થ - શ્રુતમર્યાદા - શાસ્ત્રાનુસારી જે મર્યાદા છે તેનો, નિરધારી - નિર્ણય કરીને, માયાભોસ - માયામૃષાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org