SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય જૂઠું બોલી ઉદર જે ભરવું, કપટીને વેશે ફરવું, તે જમવારે સ્યું કરવું, હો લાલ, · માયા -મોસ નવી કીજિયે, પંડે જાણે તો પણ દંભે, માયા-મોસને અધિક અચંભે, સમકિત દૃષ્ટિ મન થંભે, હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૯-૧૦ ॥ ૨૦૫ શબ્દાર્થ - ઉદર - પેટ, કપટીને - માયાવીપણાના, જમવારે - મૃત્યુ નજીક આવે ત્યારે, પંડે જાણે - પોતે જાતે જાણતો હોય, અચંભે - આશ્ચર્ય થાય તેમ, મન થંભે - મન અટકે છે. II૯-૧૦/ ગાથાર્થ - જૂઠું બોલી બોલીને જે પેટ ભરવું અને કપટી થઈને સાધુવેશમાં ફરવું, જો આવું જ કરીશું તો યમનો વારો (મૃત્યુ) નજીક આવશે ત્યારે શું કરીશું ? કંઈ જ ચાલવાનું નથી. પોતે પોતાનું આચરણ તથા શાસ્ત્રાજ્ઞા જાણતો હોય છે. તો પણ દંભને કારણે અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવો માયામૃષાવાદનો દોષ સેવે છે. માત્ર સમ્યગ્દષ્ટિ આત્માનું જ મન આવા પાપોથી થંભે છે. II ૯-૧૦ || વિવેચન - “લોકો આ ઉત્તમ સાધુ છે” એમ સમજીને બધા જ પ્રકારની ભક્તિ કરતા હોય છે. માયામૃષાવાદી જીવ આવા સાચા સાધુ નથી. તો પણ જૂઠું બોલી બોલીને પોતાને સુસાધુ તરીકે જ ગાઈને લોકો વડે કરાયેલી ભક્તિનો ઉપયોગ કરે છે. એટલે કે જૂઠું જ બોલીને પેટ ભરે છે. એટલું જ નહીં પરંતુ લોકો વડે કરાયેલી ભક્તિ બહુમાન મળે તે માટે જ કપટી થઈને બહારથી સાધુપણાનો સુંદર વેશ રાખે, આમ કેવળ વેશ માત્ર રાખીને પાંચે ઈન્દ્રિયોના વિષયોને જે પોષે, ચારે કષાયોને સેવે, બહારથી જ દેખાવ માત્ર જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy