________________
૧૫૮
કરેલું સઘળું ધર્મ અનુષ્ઠાન નિષ્ફળ થવાથી ખોવાઈ જાય છે. અર્થાત્ નષ્ટ થાય છે. || ૩ ||
અઢાર પાપસ્થાનક
વિવેચન - સામાન્યથી જે જે જીવો ઘણા વાચાળ હોય છે, વધારે પડતો બહુ જ બોલવાનો સ્વભાવ હોય છે, મુખમાં જે આવે તે બોલ્યા જ કરે છે અને તેમાં પણ ગુણી માણસોના ગુણો ઉપરનો ખુબજ દ્વેષ હૈયામાં વર્તતો હોય છે. અર્થાત્ અંતર્દોષથી જે જીવો ભરેલા હોય છે. આવા જીવો જ આવા પ્રકારનાં અછતાં આળ દેનારા થાય છે. કારણ કે એક તો વાચાળતા જે છે તે જેમ તેમ બોલવા માટે વધારે ઉત્સુક કરનાર છે. વળી તે વાચાળતા વિવેકશૂન્ય બોલવાની તાલાવેલી લગાડે છે. અને વળી ગુણો ઉપરનો જે દ્વેષભાવ છે તે અછતા દોષો પ્રકાશિત કરવા તરફ પ્રેરક બને છે.
બહુમુખરી અને ગુણમરતા આ બન્ને દોષોના કારણે જ આ જીવ પારકાના અછતા દોષો કહીને હલકા પાડવાના કાર્યમાં પરાભવ કરવાના કાર્યમાં અને પરને દુઃખ દેવાના કાર્યમાં એવો આવી જાય છે કે તેનાથી તંદુલીયા મત્સ્યની જેમ અણકીધાં (કર્યા ન હોય તો) પણ ઘણાં ચીકણાં કર્મો બાંધનારો આ જીવ બની જાય છે. અને મરીને દુર્ગતિમાં જાય છે. એટલું જ નહીં પરંતુ આજ સુધી જે જે ધર્મ અનુષ્ઠાનો કર્યા હોય છે અને તેનાથી કર્મો હળવાં જે કર્યાં હોય છે તે પણ આ દોષ સેવવાથી એવાં ચીકણા રસવાળાં કર્મો થઈ જાય છે કે જેનાથી અલ્પરસવાળાં કરેલાં કર્મો પણ તીવ્રરસવાળાં બનતાં, આજ સુધી કરેલું સર્વ ધર્મ આરાધનનું ફળ ચાલ્યું જાય છે. ખોવાઈ જાય છે. તેથી હે આત્મા ! તું કંઈક ચેત, જ્યાં ત્યાં જેમ તેમ ન બોલ. વાચાળતા મત્સરિતા ત્યજીને અભ્યાખ્યાન દોષને ત્યજનારો બન. ॥ ૩ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org