________________
અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સજ્ઝાય
મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદોજી ગુણ-અવગુણનો રે જે કરે પાલટો, તે પામે બહુ ખેદોજી.
ધન ધન તે નર, જે જિનમત ધરે. ॥ ૪ ॥ શબ્દાર્થ . પાલટો - અદલો બદલો, બહુખેદો - ઘણું દુઃખ. || ૪ ||
મિથ્યાદૃષ્ટિપણાની જે ૧૦ સંજ્ઞાઓ છે તે જ
ગાથાર્થ અભ્યાખ્યાનના ભેદો છે. જે જીવો ગુણ અને અવગુણનો બદલો કરે છે. તે જીવો ઘણો ખેદ પામે છે. || ૪ ||
વિવેચન - આગળ ઉપર અઢારમા પાપસ્થાનકની સજ્ઝાયની ત્રીજી ગાથામાં મિથ્યાર્દષ્ટિપણાની ૧૦ સંજ્ઞા આવે છે. તે જ ૧૦ સંજ્ઞાઓ આ અભ્યાખ્યાન દોષના ભેદો છે. કારણ કે મિથ્યામતિ એટલે અવળી બુદ્ધિ, ઊંધી બુદ્ધિ, આ રીતે અવળી બુદ્ધિના કારણે જ આ જીવ ધર્મમાં અધર્મબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ જેમ સેવે છે. તેમ અહીં પણ અવળી બુદ્ધિના કારણે જ તે જીવ પર ઉપર અછતા દોષો આરોપે છે. ઘણીવાર ગુણોને જ દોષોરૂપે લેખે છે. તે જ ૧૦ ભેદો અહીં લાગે છે. તે આ પ્રમાણે
-
૧. ધર્મમાં અધર્મબુદ્ધિ ૨. અધર્મમાં ધર્મબુદ્ધિ ૩. માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ
૪. ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ ૫. સાધુમાં અસાધુની બુદ્ધિ
૬.
૭.
અસાધુમાં સાધુની બુદ્ધિ
૮.
જીવમાં અજીવની બુદ્ધિ અજીવમાં જીવની બુદ્ધિ ૯. મૂર્તમાં અમૂર્તની બુદ્ધિ ૧૦. અમૂર્તમાં મૂર્તની બુદ્ધિ
Jain Education International
૧૫૯
આ ૧૦ ભેદોની વધારે ચર્ચા અઢારમી ઢાળમાં આવવાની
છે એટલે અમે અહીં લખતા નથી. (ત્યાંથી જોઈ લેવી).
આ રીતે ગુણી માણસોના ગુણોને જે જે માણસો દોષરૂપે
For Private & Personal Use Only
www.jainelibrary.org