________________
૧૫૪
અઢાર પાપસ્થાનક
તથા (૧) જે જે સજ્જન પુરુષો છે. (૨) સારા યશસ્વી માણસો છે. અને (૩) ઉત્તમ સંસ્કારોથી જેનું જીવન ઘણું જ સંસ્કારી બન્યું છે. તે ત્રણ પ્રકારના જીવો આ સંસારમાં મહાન છે. આદરણીય છે અને આ ત્રણે પ્રકારના જીવો કજીયાને રોકનારા છે. આ ત્રણે જાતના જીવોને કલહ જરા પણ ગમતો નથી. સદા કલહથી દૂર રહેનારા છે. અન્યના કલહને પણ સમજાવીને શાન્ત કરનારા છે. પ્રકૃતિએ પણ શાન્ત હોય છે. તેથી તેઓને સંત કહેવાય છે. તથા આવા પ્રકારના ગુણયુક્ત હોવાથી શાન્તિપ્રિય હોય છે. તેથી હે આત્મા! સજ્જન બનવા માટે, સુશીલ બનવા માટે અને સુયશસ્વી બનવા માટે કલહ નામના બારમા પાપસ્થાનકને તું છોડી દે. તે પાપસ્થાનક આત્માનું હિત કરનાર નથી.
આ ગાથામાં “સજ્જન-સુજસ-સુશીલ મહેત” પદમાં સુજસ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે. પણ આ પ્રમાણે “કલહ” નામના બારમા પાપસ્થાનકના વર્ણનવાળી
આ બારમી ઢાળ પણ સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org