________________
૧૪૪
“રાવણ-લક્ષ્મણ” ની જેમ દુર્ગતિમાં જ ભટકે છે. ચિકણાં કર્મો બાંધે છે. જન્મ-મરણની પરંપરા વધારે છે. તેમાં ફાયદો કંઈ થતો નથી અને નુકશાન ઘણું જ થાય છે. સારાંશ કે જે આ કલહ છે તે દુર્ગતિરૂપી વનમાં ભટકાવનારું છે. સંસારની ભ્રમણાનું જ મૂલકારણ છે.
અઢાર પાપસ્થાનક
તથા શરીરમાં થતા અનેક રોગોમાં જેમ આંખનો રોગ (પીળીયો) એ મોટો રોગ કહેવાય છે. આજના યુગમાં કેન્સર, હાર્ટ એટેક ઈત્યાદિ રોગો એ મહાન રોગો કહેવાય છે. કે જે રોગો મટે તો નહીં પણ અવશ્ય મૃત્યુ જ કરાવે. જાણે મૃત્યુની ચિઠ્ઠી જ આવી હોય તેમ શેષજીવન પણ કારમું બનાવી દે. તેમ આ “કલહ” એ પણ એક પ્રકારનો મોટો રોગ છે. ઘરમાં કલહ થવાથી પતિ-પત્નીનું, પિતા-પુત્રનું, સાસુ-વહુનું, દેરાણી-જેઠાણીનું સંપીલું જીવન પણ ધુલધાણી અને બરબાદ થઈ જાય છે. પરસ્પર લડાઈ, મારામારી અને હિંસા તથા આપઘાતમાં પરિણામ પામે છે. માટે હે જીવ ! પીળીયાના અને કેન્સરાદિના રોગ જેવો આ કલહ એ પણ એક પ્રકારનો રોગ છે. તેને તું છોડી દે.
જે જે ઘરોમાં દંતકલહ (પરસ્પર બોલાચાલી) અને ઝઘડા હોય છે તે તે ઘરોમાં લક્ષ્મીનો નિવાસ હોતો નથી. કારણ કે દંતકલહ કરનારા બન્ને જીવો ચિંતાતુર, પરસ્પર વૈરની જ વૃત્તિવાળા અને તેના જ વિચારોમાં એવા ખોવાઈ જાય છે કે ધંધામાં, નોકરીમાં કે ઘરના કામકાજમાં ચિત્ત જામે નહીં, નિદ્રા આવે નહીં, શરીર તપેલું અને તપેલું જ રહે, તેથી આર્થિક શારીરિક અને માનસિક નુકશાનો જ થાય. માટે હે જીવ ! તું કંઈક સમજ, પરસ્પરનો કલેશ ત્યજી દે.
પ્રશ્ન - તમારી વાત સાચી છે. કલહ એ સારો નથી. આપણે કલહ કરવો નથી. પરંતુ સામેનું પાત્ર જ તેવું મળ્યું હોય તો શું કરવું ? સામેનું પાત્ર કલહ કર્યા કરે અને આપણામાં કલહ ઉદીર્યા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org