________________
૧૩૨
અઢાર પાપસ્થાનક
“હેપ” નામના અગીયારમા પાપાનકની સઝાય - હૈષ ન ધરીયે લાલન, દ્વેષ ન ધરીયે, દ્વેષ તયાથી લાલન, શિવસુખ વરીયે, લાલન શિવસુખ વરીયા પાપસ્થાનક એ ઈગ્યારમું કૂડું, દ્વેષ રહિત ચિત્ત, હોયે સવિ રૂડું, લાલન, હોયે સવિ રૂડું. [૧]
શબ્દાર્થ - કૂડું - જુહુ, દુ:ખદાયી, દ્વેષરહિત ચિત્ત - દ્વેષ વિનાનું મન, હોયે સવિ રૂડું - સર્વત્ર સારું હોય છે, સુખદાયી થાય છે. I 1 II
ગાથાર્થ - હે લાલન, (હે સુકોમળ હૃદયવાળા આત્મા) હૈયામાં કોઈના પણ પ્રત્યે દ્વેષ ન રાખીએ, દ્વેષ ન રાખીએ, કારણ કે દ્વેષનો જો ત્યાગ કરો તો જ મુક્તિનાં સુખ પામો, હે લાલન, તો જ મુક્તિનાં સુખ પામો. આ ૧૧મું પાપસ્થાનક છે. અને તે સાવ કુડુ છું દુ:ખદાયી છે. તે માટે દ્વેષ વિનાનું ચિત્ત હોય તો જ તે રૂડું છે, સુખદાયી છે. A ૧
વિવેચન - આ ગાથામાં આત્માના સંબોધનને આશ્રયી સર્વત્ર લાલન શબ્દ લગાડવામાં આવ્યો છે. જેમ વડીલો પોતાના બાળકો પ્રત્યે અતિશય વાત્સલ્યભર્યા ભાવના કારણે “લાલ” કહીને બોલાવે છે તેમ જ્ઞાની પુરુષો પણ સાંસારિક જીવોનું કલ્યાણ કરવાની બુદ્ધિથી તેના પ્રત્યે અત્યન્ત વાત્સલ્યભાવવાળું હૃદય બનાવીને “લાલ-લાલન” કહીને અમૃતભરી મીઠી ભાષાથી સંબોધી રહ્યા છે.
હે લાલન ! (હે લાલુ) હૃદયમાં કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ધારણ કરવા જેવો નથી. અલ્પ પણ દ્વેષ રાખવા જેવો નથી. જો તમે દ્વેષનો ત્યાગ કરશો તો જ મુક્તિસુખને પામશો. કારણ કે રાગની જેમ આ વૈષ પણ કલેશ-કડવાશ-વેરઝેર અને મનદુઃખ કરાવનાર છે. હૈષ પણ કષાયોની ઉત્પત્તિની મહાખાણ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org