________________
દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય
૧૩૩
તે માટે તે આત્મા ! આ દ્રષ પણ રાગની જેમ એક પ્રકારનું પાપસ્થાનક જ છે. તે પોતે પણ પાપસ્વરૂપ છે. અને તેનાથી આ આત્મા બીજાં અનેક નવાં પાપો પણ સર્જે છે. દ્વેષયુક્ત ચિત્ત હંમેશાં હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરે છે. બળાપો સર્જે છે. વૈર લેવાની વૃત્તિ કરાવે છે. લઢવાની તૈયારી કરે છે. જેના પરિણામે આ આત્મા અતિશય દુર હિંસામાં પરિણામ પામે છે. તે માટે દ્વેષ કરવો એ કુડ છે. ખોટો રસ્તો છે. દુઃખદાયી માર્ગ છે. કલ્યાણકારી માર્ગ નથી. માટે દ્વેષ વિનાનું ચિત્ત રાખવું એ જ રૂડો માર્ગ છે અને એ જ સુખદાયી માર્ગ છે. માટે હે લાલન ! તું કંઈક સમજ, અને હૃદયમાંથી કોઈના પણ પ્રત્યે દ્વેષ ન રાખ, અર્થાત્ દ્વેષ ત્યજી દે. ત્યજી દે. ૧ ચરણ કરણ ગુણ બની ચિત્રશાલી.
ષ ધૂમે હોય તે સવિકાલી, લાલન તે સવિ કાલી. સરો દોષ બેંતાલીસ શુદ્ધ આહારો, ધુમ્ર દોષ હોય, પ્રબલ વિકારો, લાલન, પ્રબલ વિકારો. Plal
શબ્દાર્થ - ચરણ કરણ - ચાસ્ત્રિ અને ધર્મક્રિયા સ્વરૂપ, અર્થાત્ ચરણસિત્તરિ અને કરણસિત્તરિ સ્વરૂપ, ગુણ બની ચિત્રશાલી - ગુણોરૂપી સુંદર ચિત્રશાળા બની છે. વેષ - દ્વેષરૂપી ધૂમાડા દ્વારા, હોય તે સવિકાલી - તે સઘળી ચિત્રશાળા કાળી થાય છે, ધૂમ દોષે - દ્વેષરૂપી ધૂમાડાના દોષને લીધે, હોય પ્રબલ વિકારો - ઘણા ઘણા બળવાન વિકારો (ક્રોધાદિના આવેશો) થાય છે. II -૩ II
ગાથાર્થ - સુંદર શાસ્ત્રિ અને ઉત્તમોત્તમ ધર્મક્રિયાના ગે આત્મામાં આત્મગુણોની ગબેરંગી સુંદર જે ચિત્રશાળા બનેલી હોય છે. તે દ્વેષરૂપી ધૂમાડો અંદર લાગતાં આખી ચિત્રશાળા કાળી બની જાય છે. તથા બેંતાલીસ દોષોને છોડીને શુદ્ધ આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org