________________
૧૨૨.
અઢાર પાપસ્થાનક
ભગવાને ભાવિ ભાવ જાણી તેમને દીક્ષા આપી. દીક્ષા વખતે શાસન દેવતાએ પણ દિવ્ય ધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારી કર્મ ભોગવવાં બાકી છે, કર્મ કોઈને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી અને તપ તથા સંયમવાળું જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી, છટ્ટને પારણે આયંબિલ અને પાછો છટ્ટ એમ તપ આરંભ્યાં. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું, પણ માંકડા જેવું મન વિકારી વિચારો ન છોડી શક્યું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે આવા વિકારી મનથી હારી આપઘાત કરવાના વિચારે એક ટેકરી ઉપર ચડી ભૂસકો મારી આપઘાતની તૈયારી કરી. પણ ભૂસકો મારતાં પહેલાં આત્માને ધક્કો લાગ્યો - કે આવું આપઘાતનું પાપ કર્મ કેમ થાય ? પ્રભુ મહાવીરનું નામ લજવાશે. આપઘાત ન જ થાય. મનને મજબૂત કરીને દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યા.
તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઈ ચડ્યા.
ધર્મલાભ બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી. કર્મ સંજોગે એ આવાસ કોઈ ગૃહસ્થીનો ન હતો, એ આવાસ તો વેશ્યાનો હતો. વેશ્યાએ ધર્મલાભની સામે જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ.
નંદીષેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જ જોઈએ છે ને ? એમ કહી એક તરણું હાથથી હલાવી સાડી બાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી.
આવી વિદ્યાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા-મુનિ સાધુતા છોડી ગૃહસ્થ બની ગયા. મનને મનાવ્યું, ભાવિ ભાવ. સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org