SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સજ્ઝાય તપ બલે છૂટા તરણું તાણી રે, કંચન કોડી આષાઢાભૂતિ નાણી રે । નંદિષેણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે ॥ ૬ ॥ શબ્દાર્થ તપશ્ચર્યા કરવા દ્વારા મેળવેલી તપ બલે લબ્ધિના બળથી, છૂટા - છોડ્યા, વરસાવ્યા, તરણું તાણી - ઝાડનું એક પાંદડું ખેંચીને, કંચન કોડી - કરોડો સોનૈયા, નાણી જ્ઞાની એવા, રાગે નડિયા રાગદશામાં ફસાયા, શ્રુતનિધિ - શાસ્ત્રજ્ઞાનના ભંડાર હોવા છતાં, 1॥ ૬ || - ૧૨૧ B Jain Education International ગાથાર્થ - શ્રુતનિધિ એવા નંદિષેણ મુનિ પણ રાગને વશ થયા છતા વેશ્યામાં આસક્ત થયા અને ઝાડ ઉપરનું એક તૃણ તાણીને તપના બલે કરોડો સોનૈયાને વરસાવનારા બન્યા. એવી જ રીતે જ્ઞાની એવા આષાઢાભૂતિ મુનિ પણ (મોદકના) રાગમાં ફસાયા. જેથી નટવીના રાગમાં પણ ફસાયા. ॥ ૬ ॥ w વિવેચન - રાગદશા કેવી ભયંકર વસ્તુ છે ? મુનિદશામાં પહોંચેલા અને તપસ્વી તથા મહાજ્ઞાની બનેલા આત્માઓને પણ આ રાગદશા પછાડે છે. આ બાબત ઉપર એક આષાઢાભૂતિનું અને બીજુ નંદિષણ મુનિનું ઉદાહરણ ટાંકતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - નંદીષેણ મુનિની કથા રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીર પ્રભુની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા આપવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું - હજુ તારે સંસારના ભોગ ભોગવવાવાળાં કર્મો બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy